કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)નો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી શ્રીનગર એરપોર્ટ પર અધિકારીઓને પૂછી રહ્યા છે કે આખરે તે જમ્મૂ કાશ્મીરના લોકોને કેમ ન મળી શકે.
આ વીડિયોમાં રાહુલ ગાંધી અધિકારીઓને પૂછી રહ્યા છે કે જો, જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તો એમને કેમ રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અધિકારીઓને કહી રહ્યા છે કે અમે અહીં રાજ્યપાલના બોલાવવા પર આવ્યા છીએ. અમારો હેતુ માત્ર અનુચ્છેદ 370 હટાવાયા બાદ અહીના લોકોને મળીને શું ચાલી રહ્યું છે તે જાણવાનો છે. જો તમે ઇચ્છો તો અમને એ વિસ્તારમાં જ જવાની અનુમતિ આપી દો જ્યાં સ્થિતિ સામાન્ય છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી અન્ય 11 નેતાઓ સાથે જમ્મૂ કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા પંરતુ એમને શ્રીનગર એરપોર્ટથી બહાર ન જવા દેવાયા અને ત્યાંથી પાછા મોકલવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીને શ્રીનગર એરપોર્ટ પર રોકવા પર કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કર્યું. પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે સરકાર વારંવાર કહી રહી છે કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. જો ત્યાં તમામ બાબત સામાન્ય છે તો અમને બહાર જવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે. શું રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને રાજ્યમાં આવીને સ્થિતિને સમજવાનું આમંત્રણ નહોતું આપ્યું.
The govt is saying everything is okay here & everything is normal. If everything is normal why are we not allowed out?: Shri @RahulGandhi
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના ઘણા નેતાઓને શ્રીનગર એરપોર્ટથી પાછા મોકલી દેવાયા હતા. દિલ્હી પાછા આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજ્યના તંત્રના આ પગલાથી સાબિત થયું છે કે જમ્મૂ કાશ્મીરમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે એમણે રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા રાજ્યનો પ્રવાસ કરવા માટે આંમંત્રિત કરવામાં આવ્યા હતા કે કેન્દ્રના નિર્ણય બાદ જમ્મૂ કાશ્મીરમાં પ્રતિબંધ હોવા છતા ખીણમાં તમામ સ્થિતિ સામાન્ય છે.