આણંદના વાસદ નજીક સત કેવલ સંપ્રદાયના મહારાજ જાણે,અગમની અનુભૂતિ કરતા હોય તેમ મૃત્યુ પર સંબોધન કરી રહ્યા હતા અને અચાનક જ ઢળી પડ્યાં. સંત નિર્ભયદાસજી મહારાજનું અચાનક નિધન
અગમના એંધાણ બાદ મૃત્યુ પર પ્રવચન
મૃત્યુ પછીનાં ગૂઢાર્થ સમજાવતા ઢળી પડ્યાં
સંત નિર્ભયદાસજી મહારાજનું નિધન
આણંદના વાસદ નજીક સત કેવલ સંપ્રદાયના મહારાજ જાણે,અગમની અનુભૂતિ કરતા હોય તેમ મૃત્યુ પર સંબોધન કરી રહ્યા હતા અને અચાનક જ ઢળી પડ્યાં. પ્રવચનનો વિડીયો પણ ઉતારવામાં આવી રહ્યો હતો. દરમિયાન મહારાજનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજ ચાલુ પ્રવચન દરમિયાન અવસાન પામ્યા હતા.
સોજીત્રામાં એક સત્સંગ સભામાં સંત નિર્ભયદાસજી મહારાજ જીવનની આંટીઘૂંટી અને મૃત્યુ પર ગહન રીતે સંભાષણ આપી રહ્યા હતા.જીવન કરતા મૃત્યુના ગૂઢાર્થ અને રહસ્યો પર તત્વચિંતાનાત્મક વાત કરી રહ્યા હતા. સંત નિર્ભયદાસજી મહારાજ ખુદ વાત કરતા ભાવવાહી મુદ્રામાં હતા અને અચાનક જ તેઓ ઢળી પડ્યાં. સંત કોઈ સહારો પણ લઇ શક્યા નહોતા. સાત કેવળ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજે, પોતાના પ્રવચનની શરૂઆત 'સત કેવલ સાહેબ' કહીને કરી હતી. પ્રવચન દરમિયાન મહારાજ અચાનક ઢળી પડતા અનુયાયીઓ તેમને ઘેરી વળ્યા હતા. કહેવાય છે કે, હૃદય રોગનો હુમલો આવ્યો હશે જે જીવલેણ નીવડ્યો. પ્રવચન દરમિયાન કોઈ ભાવક મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યો હતો.અને આ ઘટના પણ મોબાઈલ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.