કેપ્ટન રોહિત શર્માનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પત્રકાર તેમને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વિશે પૂછવામાં આવ્યું હતું.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો અલગ જ અંદાજ દેખાઈ રહ્યા
તેનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
પત્રકાર તેને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વિશે પૂછ્યું હતું
ટીમ ઈન્ડિયા હાલ યુએઇમાં આવનાર એશિયા કપની તૈયારી કરી રહી છે. 28 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહ્યો છે. જ્યાં બંને ટીમ એક વર્ષ પછી આમને સામને આવશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશનની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.
આ પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો અલગ જ અંદાજ દેખાઈ રહ્યા છે. હાલ જ રોહિત શર્માએ તેના ફેન્સ સાથે મુલાકાત કરી હતી અને સાથે જ પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. હાલ તેનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પત્રકાર તેમને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વિશે પૂછવામાં આવ્યું હતું.
તેમાં રોહિત શર્માએ સામે જ પત્રકારોને સવાલ પૂછી લીધો હતો કે આ વાતની શરૂઆત કોને કરી છે મને એનું નામ કહો. એ પછી એમને કહ્યું હતું કે આ વાત બસ અફવા છે અને આ વિશે એમને ચહલ સાથે પણ વાત કરી હતી.
અફવા એ જોર પકડયું હતું
છેલ્લા ઘણા દિવસથી ભારતીય ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્મા થોડા દિવસોથી સતત ટ્રેન્ડમાં બની રહ્યા છે. પહેલા ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખેલા પોતાના નામથી ચહલ સરનેમ હટાવી દીધી હતી. ત્યાર બાદ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. એ પછીથી બંને વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા એ અફવા એ જોર પકડી હતી.
Rohit Sharma asking journalists on who started the fake rumours on Yuzvendra Chahal's personal life. 😂 pic.twitter.com/A6V9fkz9R1
ધનશ્રીએ શેર કરી હતી પોસ્ટ
ધનશ્રીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે એક રાજકુમારી પોતાના દર્દને તાકાત બનાવી લેશે. આ પોસ્ટને ચહલે પણ લાઈ કરી હતી. પછ ચહલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં લથ્યું હતું, 'New Life Loanding'