પાલનપુરમાં રાકેશ ટિકૈતની કાર આવતા કેટલાક શખ્સોએ કાળા વાવટા સાથે વિરોધ દર્શાવ્યો, સ્થળ પર હાજર રાકેશ ટિકૈતના સમર્થકોએ વિરોધ દર્શાવનારા લોકોને રોક્યા હતા.
પાલનપુરમાં રાકેશ ટિકૈતનો વિરોધ
કાળા વાવટા બતાવનાર શખ્સને પડ્યો માર
ખેડૂત સમાજના કાર્યક્રમને પણ ખાસ પ્રતિસાદ નહીં
પાલનપુરમાં રાકેશ ટિકૈતનો વિરોધ કરનાર પૂર્વ નગરસેવકને માર મારવામાં આવ્યો છે. પાલનપુરમાં રાકેશ ટિકૈતની કાર આવતા કેટલાક શખ્સોએ કાળા વાવટા સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન હાજર રાકેશ ટિકૈતના સમર્થકોએ વિરોધ દર્શાવનારા લોકોને રોક્યા હતા. અને માર પણ માર્ય હતો.
જેમાં પૂર્વ નગરસેવક અશોક પુરોહિત ખેડૂતોના રોષનો ભોગ બન્યા છે. ખેડૂત સમાજના કાર્યક્રમમાં બે શખ્સોએ કાળા વાવટા બતાવ્યાં હતાં. ખેડૂત સમાજના કાર્યક્રમને પણ ખાસ સમર્થન મળ્યું ન હોવાનું જોવા મળી રહ્યું છે. રાકેશ ટિકૈટના કાર્યકમમાં સમર્થકોની સંખ્યા પણ ઓછી જોવા મળી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 4, 2021
ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી થઈ ચુકી છે. કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં આજે કાર્યક્રમ આપશે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ટેન્ક, ટ્રેક્ટર અને ટ્વીટરથી દેશ ચાલે છે. રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતુ કે, ગુજરાતના ખેડૂતોને પણ ટેકાના ભાવન નથી મળતા. ગુજરાતના ખેડૂતોને આંદોલન કરતા સરકાર રોકી રહી છે. સરકાર સાથે હાલ વાટાઘાટોના કોઈ સંકેત નહીં.