સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટના બની હતી. સુરતના ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હીરાબાગમાં બસ સળગી ઉઠતા 2 લોકોના મોત થયા છે.
સુરતમાં ખાનગી બસમાં લાગી આગ
હીરાબાગ વિસ્તારની ઘટનાથી અરેરાટી
AC બ્લાસ્ટ થવાથી આગનું અનુમાન
સુરતમાં હીરાબાગ સર્કલ પાસે:ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. રાજ્યની મહાપાલિકાઓમાં કર્ફ્યુંની માલ્વારીનાં થોડા સમય પહેલા જ હીરાબાગ સર્કલ પર એક રાજધાની નામની બસમાં ACમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર 2 લોકોના મોત નિપજ્યાં છે. તો બસમાં બે વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આ બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કહેવાય છે કે, ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતાઅને રાહદારીઓ અવાચક થઇ ગયા હતા. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પાણી મારો શરૂ કરી દીધો હતો. પરંતુ 2 જેટલા લોકોને બચાવી શકાયા ન હતા.