ચક્રવાત અસાનીની વચ્ચે સમુદ્રમાંથી અચાનક સોનાનો રથ નિકળતો જોઈ લોકો પણ દંગ રહી ગયા હતા.
ચક્રવાત અસાનીની ભયંકર અસર દેખાઈ
આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં ભારે પવન અને વરસાદ
સમુદ્રમાંથી એક રહસ્યમય વસ્તુ બહાર આવી
ચક્રવાત અસાનીની વચ્ચે સમુદ્રમાંથી અચાનક સોનાનો રથ નિકળતો જોઈ લોકો પણ દંગ રહી ગયા હતા. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લીથી હાર્બરમાં મંગળવારે ચક્રવાતી તોફાન અસાનીના પ્રભાવની વચ્ચે એક રહસ્યમય રથ દેખાયો હતો.
સમુદ્રમાંથી સોનાનો રથ બહાર આવ્યો
આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સમુદ્ર કિનારે રહેલા લોકો રથને પાણીમાંથી ખેંચીને કિનારા પર લાવી રહ્યા છે. નૌપાડાના સબ ઈંસ્પેક્ટરને જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ ગુપ્તચર વિભાગને આપવામાં આવી છે. એસઆઈએ કહ્યુ કે, બની શકે છે કે, આ કોઈ બીજા દેશમાંથી આવ્યો હોય. તેમાં ઈંટેલિજેંસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે.
#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y'day, as the sea remained turbulent due to #CycloneAsani
SI Naupada says, "It might've come from another country. We've informed Intelligence & higher officials." pic.twitter.com/XunW5cNy6O
આપને જણાવી દઈએ કે, ભીષણ ચક્રવાત અસાની બુધવારે એક ચક્રવાતી તોફનમાં પરિવર્તિત થઈ તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું અને રાજ્યના નરસાપુરમાં 34 કિમી અંદર સુધી તેની અસર દેખાઈ હતી. આ દરમિયાન વિસ્તારમાં 85 કિમીની સ્પિડથી પવન ફુંકાયો હતો અને ભારે વરસાદ પણ થયો હતો. હવામાન વિભાગે આ પ્રકારની જાણકારી આપી હતી. ચક્રવાત તટથી દૂર જવા અને ગુરૂવાર સુધીમાં નબળુ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવી આ વાત
હવામાન વિભાગે પોતાના રાષ્ટ્રીય બુલેટિનમાં કહ્યું છે કે, તેના થોડા કલાકની અંદર ઉત્તર તરફથી પુરની સંભાવના વર્તાઈ રહી છે. બુધવાર બપોરથી સાંજ સુધી તે ફરી એક વાર જોર પકડશે અને નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની તથા વિશાખાપટ્ટનમ તટ સાથે ઉત્તર પૂર્વિય તરફ ધીમે ધીમે આગળ વધી અને રાતમાં ઉત્તરી આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારથી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં સમાઈ જવાની સંભાવના છે.