કેરળમાં વરસાદના કારણે બનેલી અલગ અલગ ઘટનાઓમાં 18 લોકોના મોતની ખરાઈ થઈ છે. ત્યારે હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અલગ અલગ ઘટનાઓમાં 18 લોકોના મોતની ખરાઈ
એક વીડિયો કોટ્ટાયમના મુંડાકાયમથી સામે આવ્યો છે
એક પાક્કુ મકાન જોત જોતામાં નદીમાં વહી ગયુ
અલગ અલગ ઘટનાઓમાં 18 લોકોના મોતની ખરાઈ
કેરળના કેટલાક ભાગોમાં 2 દિવસ સતત ચાલુ રહેલા વરસાદન કારણે સ્થિતિ ભયંકર થઈ ગઈ છે. કેરળમાં વરસાદના કારણે બનેલી અલગ અલગ ઘટનાઓમાં 18 લોકોના મોતની ખરાઈ થઈ છે. સાથે અનેક લોકો ગુમ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેરળ અલગ અલગ વિસ્તારમાંથી વરસાદ સંબંધિત અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સમે આવી રહ્યા છે. એવો જ એક વીડિયો કોટ્ટાયમના મુંડાકાયમથી સામે આવ્યો છે.
એક પાક્કુ મકાન જોત જોતામાં નદીમાં વહી ગયુ
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. રસ્તાની પાછળની બાજુએ નદી વહી રહી છે. તોફાન બહું તેજ છે. આ પાણીના વેગના કારણે રસ્તા પર બનેલું એક પાક્કુ મકાન પહેલા થોડુક ઝુક્યુ છે અને પછી જોત જોતામાં નદીમાં વહી જાય છે. જો કે આ ઘટનામાં હજું કોઈ જાનહાનીના સમાચાર નથી.
#WATCH | Kerala: A house got washed away by strong water currents of a river in Kottayam's Mundakayam yesterday following heavy rainfall. pic.twitter.com/YYBFd9HQSp
ઉલ્લેખનીય છે કે કોટ્ટાયમ જિલ્લામાં કુટ્ટિકલમાં 40 વર્ષીય વ્યક્તિ તેની 75 વર્ષીય માતા, 35 વર્ષીય પત્ની અને 14, 12 અને 10 વર્ષની 3 બાળકીઓ સહિત પરિવારના 6 લોકોના મોત થયા છે. પરિવારનું મકાન ભૂસ્ખલનમાં વહી ગયુ હતુ. 3 લોકોની બોડી શનિવારે મળી હતી. અન્ય બે લોકોની શોધ ચાલી રહી છે.
અધિકારી ઘાયલો તથા અસરગ્રસ્તોની મદદ માટે કામ કરી રહ્યા છે - પીએમ
ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખી સ્થિતિને લઈને રવિવારે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ તથા ભૂસ્ખલનને ધ્યાનમાં રાખી સ્થિતિ પર વિચાર વિમર્શ કર્યુ. અધિકારી ઘાયલો તથા અસરગ્રસ્તોની મદદ માટે કામ કરી રહ્યા છે.
મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે હું તમામના સુરક્ષિત રહેવા અને તેમની ભલાઈ માટે પ્રાર્થના કરુ છું. તેમણે એક અન્ય ટ્વીટમાં કહ્યું, આ દુઃખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોના મોત થયા છે. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે.