અમદાવાદમાં મંજુશ્રી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો થયા છે. કોરોનાથી પીડિત પિતાની કોઇ જાણકારી પુત્રને ન મળતા પરિવાર પરેશાન થયો છે. પુત્ર વિરેન્દ્રસિંહે મીડિયા સમક્ષ કહ્યું કે, મારા પિતા જીવે છે કે નહીં તેની જાણ નથી. બે દિવસથી મારા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે દિવસથી મારા પિતાના કોઇ સમાચાર નથી. તો બીજી તરફ સિક્યોરિટી ગાર્ડો એવો ડર દેખાડી રહ્યા છે કે, જો ઝઘડો કરશો તો દર્દીને રજા આપી દઇશું. કોરોનામાં એક તરફ સારવારને લઈ સવાલો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2021
હોસ્પિટલ તો કાલે હાથ ઉપર કરી દેશે અને કહેશેઃ સોરી
અમદાવાદના એક પરિવારને પોતાના મોભીની હાલત વિશે કંઈ જાણ ન હોવાથી પરેશાનીમાં મુકાયો છે. વિરેન્દ્રસિંહ રાજપૂત નામના એક પુત્રએ કહ્યું,ગઈકાલથી મારા પિતા મજુશ્રી કેમ્પસની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેઓ કઈ હાલતમાં છે. અને તેમને જમવાનું મળે છે કે, નહીં તેના વિશે અમને કંઈ ખબર નથી. તેમની સાથે વાત પણ થઈ શકી નથી.
વિરેન્દ્રસિંહે જણાવ્યું, હોસ્પિટલમાં દર્દીઓ સાથે પરિવારની વાતચીત થઈ શકે. જેને લઈ ડોમ ઉભું કરવામાં આવ્યું છે. આમ છતાં ડોમના કર્મચારીઓ કહે છે કે, નેટવર્ક નથી, માણસ નથી અને વારંવાર બહાના બનાવે છે. વિરેન્દ્રસિંહે ત્યાં સુધી આક્ષેપો કર્યા કે, અમે કોઈ સામાન મોકલી નથી શકતા. ફોન પણ મોકલી શકતા નથી.
સિવિલ કેમ્પસમાં આવેલી તમામ હોસ્પિટલ ફૂલ, મંજુશ્રીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરાઈ
સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. સિવિલ કેમ્પસમાં આવેલી તમામ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. સિવિલના વોર્ડ ફુલ થતા મોટો નિર્ણય લેવાયો છે. જેમાં કીડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે ટ્રાન્સફર કરાઈ છે. મંજુશ્રીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. સિવિલમાંથી દર્દીઓ મંજુશ્રી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે.
રાજ્યભરમાં કોરોનાની અસરના કારણે તંત્ર દોડતું થયું છે.સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં ગઈકાલે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં રાજીવ ગુપ્તા, AMC કમિશનર મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં વધી રહેલા કેસો મામલે બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી. સાથે કોરોના બેડ વધારવા મામલે પણ અધિકારીઓ નિર્ણય લઈ શકે છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓ.પી.ડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.