ઉના બેઠકના ભાજપ ઉમેદવારના ભાષણનો વીડિયો વાયરલ; કહ્યું કે, મતદાન તારીખ અને મતગણતરીની તારીખ 8 પછી ઉંદેડી નો પત્તો નહી લાગે, મતદાન કરતા પહેલા વ્યક્તિ જોજો
ઉના બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ
મતદાન કરતા પહેલા વ્યક્તિ જોજો: કે સી રાઠોડ
8 તારીખ પછી ઉંદેડીનો પતો નહીં લાગે: કે સી રાઠોડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દિવસે દિવસે રાજકારણ ગરમાયું છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ વધુને વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પ્રચંડ પ્રચારમાં લાગેલા છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યાં છે તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ પ્રચારના મેદાને ઉતર્યો છે તો વળી ઉમેદાવરો પોતે પણ પોતાના મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન અને લોક સંપર્ક તેમજ સભાઓ ગજવી રહ્યાં છે. આ બધાની વચ્ચે અવનવા નિવેદનોના વીડિયો વાયરલ પણ થઈ રહ્યાં છે. ઉના વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે.
કે સી રાઠોડના ભાષણનો વીડિયો
ઉના વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર કે સી રાઠોડનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, કોંગ્રેસના લેભાગુ તત્વો મારા વિષે બેફામ બોલતા હતા તેમણે કહ્યું કે, મતદાન કરતા પહેલા વ્યક્તી જોઈને વોટ આપજો અને હું કહુ છુ તમારુ ભવિષ્ય ક્યા સારુ છે તમે તમારી ચિંતા કરો કે સી રાઠોડે કહ્યું કે, મતદાન તારીખ અને મતગણતરી તારીખ 8 પછી ઉંદેડી નો પતો નહી લાગે તેમણે કહ્યું કે, હમણા જે ઉંદેડીઓ દેખાય છે તે પછી નહી દેખાય તેમણે કહ્યું કે, પરિણામ પછી કોઇ પણને કશુ થાય તો જવાબદારી મારી છે. તેમણે કહ્યું કે, દરેક સમાજના દિકરાને કઈ પણ કામ હોય તો કહેજો તમામ માટે હંમેશા તત્પર રહીશ અને આ ગામના લોકો માટે કાયમી ઉભો રહીશ. ઉના અને ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન આપ્યુ હતું.
8 તારીખ પછી કંઈ પણ થાય તો જવાબદારી મારી: કે સી રાઠોડ
તેમણે કહ્યું કે, પહેલા મારા વિશે એક કોંગ્રેસ નેતા બેફામ બોલતા હતા પરંતુ મતદાન આપતા વિચારજો કે કોણ વ્યક્તિ સારો છે તેમણે કહ્યું કે, એ લોકોએ ગામમાંથી ઓટલા કઢાવ્યા છે અને હિટલર શાહી જેવો વર્તન કર્યું છે. તેમણે કહ્યું જે સમાજમાંથી આવતા હોય એમને ના મુકતા હોય તેમને આપણે ઉંદેડીને દાણો પાવા જેવી વાત છે તેમણે કહ્યું કે, મતદાન થશે અને મતગણતરી 8 તારીખે થશે પછી એ ઉંદેડીનો પત્તો નહીં લાગશે. તેમણે કહ્યું કે, 8 તારીખ પછી કંઈ પણ થાય તેની જવાબદારી ભગાભાઈની નહીં મારી રહેશે.