દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે. આ સિવાય કર્ણાટકના 76 વર્ષના એક શખ્સનું કોરોનાને કારણે મોત પણ નીપજ્યું છે. ત્યારે બોલિવૂડમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે.
અમિતાભ બચ્ચને કોરોનાને બતાવ્યો ઠેંગો
સદીના મહાનાયકે કોરોના સામે લડવાની અનોખી રીત બતાવી
અમિતાભનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
હાલમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની કોરોના પર પ્રતિક્રિયા સામે આવી છે. અમિતાભ બચ્ચને લોકોને કોરોનાનો ડર્યા વિના સામનો કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમણે એક કવિતા પણ ટ્વિટર પર શેર કરી છે. આ એક વીડિયા ટ્વિટ છે. જેમાં અમિતાભ બચ્ચન બેસીને આ કવિતા સંભળાવી રહ્યાં છે. તેમણે લોકોને સાવધાન રહેવાનું કહ્યું છે.
T 3468 - Concerned about the COVID 19 .. just doodled some lines .. in verse .. please stay safe .. 🙏 pic.twitter.com/80idolmkRZ
'बहुत इलाज बताते हैं जन-जनमानस सब.
किसकी सुनें किसकी नहीं कौन बताए अब.
कोई कहता है कलौंजी पीसो कोई कहता है आंवला रस. कोई कहता है घर में बैठो हिलो न टस से मस.
ईर कहते हैं और बीर कहते हैं ऐसा कुछ भी करो न.
बिना साबुन हाथ न धोएं और किसी को छुएं न.
हमने कहा कि चलो हम ही कर देते हैं जैसा बोल रहे हैं सब.
आने दो कोरोना-वोरोना ठेंगा दिखाओ तब.'
કોરોનાથી પરેશાન બોલિવૂડ, અક્ષયની સૂર્યવંશી રિલીઝ નહીં થાય
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ પાછળ ઠેલવાઈ છે. પહેલાં સૂર્યવંશી 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને જોવા મેકર્સએ તેની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. જોકે, અત્યાર સુધી આગામી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. કોરોનાનો કહેર ફિલ્મ જગત સિવાય શેર બજાર પર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હીની સ્કૂલો અને કોલેજો, સિનેમાઘરો પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.