વડોદરાની યુવતીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને મોતને કર્યુ વ્હાલુ, આપઘાત પહેલા રિવરફ્રન્ટ પર રેકોર્ડ કરેલો વીડિયો આવ્યો સામે
આપઘાત પહેલા યુવતીએ રેકોર્ડ કર્યો વીડિયો
પ્રેમમાં નિષ્ફળતા મળતા કર્યો આપઘાત
વડોદરા પોતાના ઘરે જઇને કર્યો આપઘાત
ફરી એકવાર ગુજરાતમાં આયેશાની યાદ અપાવી દે તેવી ઘટના બની. જેવી રીતે આયેશાએ રિવરફ્રન્ટ પર છેલ્લો વીડિયો બનાવીને મોતને વ્હાલુ કર્યુ હતું તેવી જ રીતે વડોદરાની યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે. યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ લાગી આવતા આપઘાત કર્યો.
વડોદરાની યુવતીનો ગળેફાંસો ખાઇને આપઘાત
વાત છે વડોદરાની. તાંદલજામાં 25 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધું. કારણ છે પ્રેમમાં નિષ્ફળતા. અમદાવાદના એક યુવકે લગ્નની લાલચ આપી હતી પરંતુ યુવકે વિશ્વાસઘાત કરતા યુવતીએ આ પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યુવતી અમદાવાદના રમીઝ નામના યુવકના પ્રેમમાં હતી. પ્રેમમાં નિષ્ફળતાને લીધે યુવતીએ આપઘાત કરી લીધો.
આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે
આ યુવતીનો આપઘાત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો આ વીડિયો છે. જેમાં તે કહી રહી છે કે '' ઝિંદગીમે મેને તુજે સબસે જ્યાદા પ્યાર કિયા,ઓર તુમને યે કિયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોખા દિયા, મુજે લગા તુમ સબસે અલગ હો પર તુમ સબ કે જૈસે હી હો. તુમમે ઔર સબમે કોઇ ફરક નહીં થા. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહી થામા, બહોત બુરે હો તુમ, તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર." આ ઉપરાંત યુવતી એમ પણ કહી રહી છે કે 'મેરે પાસ મોત કે અલાવા ઓર કોઇ રાસ્તા નહી હૈ, ઇતના બુરા હાલ કર દિયા હૈ તુમને મેરા.'
રિવરફ્રન્ટ પર કર્યો હતો આપઘાતનો પ્રયાસ
મહત્વનું છે કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળીને આયેશાએ મોતને વ્હાલુ કર્યુ હતું. તેણે રિવરફ્રન્ટ પરથી વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના હજી કોઇ ભૂલી શક્યુ નથી. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. વડોદરાની આ યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું હતો આયેશા આપઘાત કેસ ?
મહત્વનું છે કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આયેશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કર્યુ હતું. આ કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.