ભૂકંપ બાદ તુર્કીયે અને સીરિયાની સ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક લોકોને મોતના મુખમાથી ઉગારી લેવાયા છે. ત્યારે 128 કલાક બાદ નવજાત બાળકનું સફળ રેસ્ક્યુ કરાયું હતું.
તુર્કીયે અને સીરિયામાં વિનાશકારી ભૂકંપથી તબાહી સર્જી
દુર્ઘટનનાના 128 કલાક બાદ નવજાત બાળક જીવિત મળ્યું
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
તુર્કીયે અને સીરિયામાં આવેલ વિનાશકારી ભૂકંપએ તબાહી સર્જી દીધી છે. વણસતી સ્થિતિ વચ્ચે હજારોની સંખ્યામાં લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. ત્યારે આશ્ચર્યજનક કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કુદરતના ચમત્કાર સમાન આ કિસ્સામાં તુર્કીયેના હેતે વિસ્તરામાં એક નવજાત બાળક પોતાના ઘરના કાટમાળ નીચે દબાઈ ગયું હતું.ત્યારબાદ દુર્ઘટનનાના 128 કલાક જેટલા લાંબા સમય બાદ બાળક જીવિત મળી આવ્યું હતું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મોડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નાનું બાળક બચાવ કર્તા ટીમના જવાનની આંગળી ચૂમી રહ્યું છે.
👶2-month-old baby rescued from quake rubble after 128 hours in debris
🚑The baby survived the deadly disaster and was immediately taken to the hospital for medical checks
મહત્વનું છે કે આ અગાઉ એનડીઆરએફની ટીમે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં કાટમાળમાં અટવાયેલી 8 વર્ષની નાની બાળકીને હેમખેમ ઉગારી લીધી હતી. ઉપરાંત ભૂકંપ બાદ હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે રેસ્ક્યુ કરતા NDRFના જવાનોએ આ પહેલા તુર્કીમાં આર્મીના જવાનો સાથે મળીને ગાઝિયાંટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF જવાનોએ 6 વર્ષની બાળકીને પણ મોતના મુખમાંથી ઉગારી લીધી હતી.
29,896 લોકોના મૃત્યુ થયા
મહત્વનું છે કે તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂકંપને પગલે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેવામાં નવા આંકડા સામે આવ્યાક છે જેમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ભારતએ 'ઓપરેશન દોસ્ત' હેઠળ બંને દેશોમાં મદદ કરી રહ્યું છે. ભારતની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તુર્કી અને સીરિયામાં બચાવ કામગીરીમાં જોતરાઈ છે.