અવાર નવાર લોકોને એરપોર્ટ, લગ્નમાં, નોકરી કરતા હોય તે સ્થળે મેડીકલ ઈમરજન્સીની જરૂર પડતી હોય છે. સમયસર પ્રાથમિક સારવાર ન મળે તો કોઈક વખત જીવ ગુમાવવાનાં પણ બનાવો બન્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર આધેડની તબિયત લથડી
અમદાવાદ એરપોર્ટ પર CISF જવાન બન્યો દેવદૂત
હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ?
અવાર નવાર લોકોને એરપોર્ટ, લગ્નમાં, નોકરી કરતા હોય તે સ્થળે મેડીકલ ઈમરજન્સીની જરૂર પડતી હોય છે. સમયસર પ્રાથમિક સારવાર ન મળે તો કોઈક વખત જીવ ગુમાવવાનાં પણ બનાવો બન્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજે એવો જ એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં અમદાવાદ એરપોર્ટ પર આધેડને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતા એરપોર્ટ પર હાજર CISF ના જવાન દ્વારા તાત્કાલીક આધેડને પ્રાથમિક સારવાર આપી આધેડનો જીવ બચાવ્યો હતો. ત્યારે આધેડને સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી જવા પામ્યો હતો. આધેડે CISF નાં જવાનનો આભાર માન્યો હતો.
દર્દીનો જીવ કઈ રીતે બચશે?
આજકાલ માણસને અલગ-અલગ પ્રકારની બિમારીઓએ ઘેરી રાખ્યો છે, પરંતુ ઘણા બધા મૃત્યુ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ એટલેકે હૃદય કામ કરતા અટકી જાય તેનાથી થાય છે. અમુક રિપોર્ટસ મુજબ દર વર્ષે 2 કરોડ લોકોના મોત હાર્ટની સમસ્યાને કારણે થાય છે. તો એવામાં જાણવુ જરૂરી છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં તમારે શું કરવુ જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ, જેનાથી દર્દીનો જીવ બચી જાય.
હાર્ટ એટેક શું છે?
હાર્ટની ધમની એટલેકે કોરોનરી આર્ટરીમાં પ્લાક જેવુ તત્વ જમા થાય છે, જેનાથી રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે. એવામાં હાર્ટ સુધી લોહી પહોંચતુ નથી અને હાર્ટ એટેક આવે છે.
હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ?
હોસ્પિટલ લઇ જવામાં સમય થઇ શકે છે, એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનુ શરૂ કરી દો. પીડિતની છાતીની બિલ્કુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100-120 વખત ધક્કો આપતા રહો. પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને સીપીઆર કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.
હાર્ટના દર્દીએ કઈ-કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ?
હાર્ટની સમસ્યાનુ સૌથી મોટુ કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનુ ખાન-પાન આરોગ્યપ્રદ રહેવુ જરૂરી છે. કોઈ પણ એવુ ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનુ જોખમ છે, તેને બિલ્કુલ નજરઅંદાજ કરવુ જોઈએ. જેમ કે તળેલુ ભોજન, મસાલાવાળુ ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધુમ્રપાન આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનુ પણ સેવન ના કરવુ જોઈએ.