પીએમ મોદીની વાતનો વળતો પ્રહાર કરતાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ભાજપના લોકો 'જય શ્રી રામ' કહે છે, 'જય સિયા રામ' નથી કહેતા.
'ભાજપના લોકો 'જય શ્રી રામ' કહે છે, 'જય સિયા રામ' નથી કહેતા - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું- સીતા વિના ભગવાન રામ અધૂરા છે...
'પંડિતજીએ મને આ સવાલ ભાજપના લોકોને પૂછવા કહ્યું...'
શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસની ટીકા કરતાં એક નિવેદન આપ્યું હતું કે 'ભાજપના લોકો 'જય શ્રી રામ' કહે છે, 'જય સિયા રામ' નથી કહેતા કારણ કે તેઓ સીતાની પૂજા નથી કરતા.' જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે પર રાવણની ટિપ્પણીના થોડા દિવસો પછી આવ્યું છે. એ વાતને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય પણ રામમાં વિશ્વાસ નહતી કરતી પણ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરે છે.' આ વાતનો વળતો પ્રહાર કરતાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'જય સિયા રામ' અથવા 'જય સીતા રામ' નો અર્થ એ છે કે રામ અને સીતા એક છે.
રાહુલ ગાંધીએ કહ્યું- સીતા વિના ભગવાન રામ અધૂરા છે...
આ વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, " સીતા વિના ભગવાન રામનું નામ અધૂરું છે, તે બંને એક જ છે એટલા માટે આપણે 'જય સિયારામ' બોલીએ છીએ" ભગવાન રામ સીતા માટે લડ્યા. અમે જય સિયા રામનો ઉચ્ચાર કરીએ છીએ અને મહિલાઓને સીતાના સ્વરૂપ તરીકે માન આપીએ છીએ. જય સિયા રામ.
'રામ અને સીતા એક છે...'
આગળ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જય સિયા રામ એટલે સીતા અને રામ એક જ છે. ભગવાન રામની જીવનશૈલી અને એમને સીતા માટે જે કર્યું તેનું આ સૂત્રમાં સન્માન કરવામાં આવે છે અને એટલા માટે જ આપણે જય સિયા રામ બોલીએ છીએ, આમ બોલીને આપણે સીતાને યાદ કરીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ." જો કે આ વિશે રાહુલ ગાંધી બોલ્યા હતા કે એક પંડિત તેમની પાસે આવ્યા અને તેમને આ વાત સમજાવી હતી સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે 'મેં ભારત જોડો' યાત્રા દરમિયાન ઘણું શીખ્યું છે.
सीता के बिना भगवान राम का नाम अधूरा है - वो एक ही हैं इसीलिए हम 'जय सियाराम' कहते हैं।
भगवान राम सीता जी के लिए लड़े। हम जय सिया राम जपते हैं और महिलाओं को सीता का स्वरूप मान उनका आदर करते हैं।
'પંડિતજીએ મને આ સવાલ ભાજપના લોકોને પૂછવા કહ્યું...'
રાહુલ ગાંધી અહીંયા ન અટક્યાં એમના આગળ કહ્યું હતું કે “જય શ્રી રામ, જે ભગવાન રામના સન્માનમાં બોલવામાં આવે છે એ વિશે પંડિતજીએ મને આ પ્રશ્ન ઉઠાવવા માટે કહ્યું હતું, એમને મને કહ્યું કે ભાજપને પૂછો કે તેઓ ક્યારેય જય સિયા રામ કેમ નથી બોલતા, શા માટે તેઓ હંમેશા જય શ્રી રામ બોલે છે. આ એક ગહન વિચારનો વિષય છે. આરએસએસના લોકો ભાજપમાં ગયા પણ એમને ક્યારેય ભગવાન રામની જીવનશૈલી અપનાવી નથી.