વડોદરાના સોખડા હરિધામ મંદિર વિવાદનો મામલો સમવાનું નામ નથી રહ્યો. બંને જૂથોના હરિભક્તો ઓડિયો-વીડિયો વાયરલ કરી રહ્યાં છે. સોખડાના પૂર્વ સંત દ્વારા કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ
સોખડા હરિધામ મંદિર વિવાદ
બે જૂથોના હરિભક્તોનો ઓડિયો-વીડિયો વાયરલ
પૂર્વ સંત દ્વારા કેટલાક સંતો પર ગંભીર આરોપ
ધાર્મિક સંપ્રદાયમાં અણ છાજતી હરકતો અને સંતો-શિષ્યો વચ્ચેના લાંછન રૂપ કિસ્સાઓ માત્ર ધર્મ -સંપ્રદાયને જ લજવે છે તેવું નથી.પરંતુ આસ્થા ધરાવતા એ તમામ શ્ર્ધાળુઓ માટે પણ શરમથી માથું નીચું નમી જાય તેવી સ્થિતિ છે. અને આવું કઈ પહેલી વાર થતું હોય તેમ પણ નથી. ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના મઠાધીશ થઇ બેસવાના પ્રયાસમાં અને 'ભગવા'ની આડમાં કશું જ નાં થઇ શકે તેવા કેફમાં સંત હોય કે મહંત, ધર્મ ધ્વજને લજાવી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના વડોદરાના સોખડા હરિધામ મંદિરમાં બની છે
વડોદરાના સોખડા હરિધામ મંદિર વિવાદનો મામલો સમવાનું નામ નથી રહ્યો. બંને જૂથોના હરિભક્તો ઓડિયો-વીડિયો વાયરલ કરી રહ્યાં છે. સોખડાના પૂર્વ સંત દ્વારા કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પૂર્વ સંતનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો અને પત્ર વાયરલ થયો છે. પૂર્વ સંત કિરણ ટંડેલે સ્વ લીખિત સોગંદનામું અને વીડિયો વાયરલ કર્યો છે. 1997માં દીક્ષા લઇ યોગી આશ્રમમાં રહેતા હોવાનો પૂર્વ સંતે દાવો કર્યો છે. પૂર્વ સંતે કહ્યું કે, મારી સાથે પ્રબોધ સ્વામીએ ખરાબ હરકત કરતા હું આઘાતમાં જતો રહ્યો હતો. મને હેરાન કરવામાં આવતા 2004માં હરિધામ છોડી દીધુ હતું.