ગોધરા ખાતે આયોજીત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નામ લીધા વગર મંત્રી પદને લઈને કટાક્ષ કર્યો હતો.
ચંદનની ખેતી માટે PMને કરીશ રજૂઆત
મંત્રી નિમિષા સુથારને લઈ ધારાસભ્યએ માર્યા ટોણાં
'બાધાઓ રાખવાથી મંત્રી પદ નથી મળતું'
'કામ કરવાથી મળે છે મંત્રી પદ'
ગોધરા ખાતે આયોજીત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નામ લીધા વગર મંત્રી પદને લઈને કટાક્ષ કર્યો હતો. જેમાં સ્ટેજ પર ઉપસ્થિત મંત્રી મનીષા સુથારને ધારાસભ્ય દ્વારા ટોણા માર્યા હતા. અને કહ્યું હતું કે બાધાઓ રાખવાથી મંત્રી પદ નથી મળતું, કામ કરવાથી મળે છે. વડાપ્રધાનની મુલાકાત કરી રાઉલજી મંત્રી પદ લઈ જશે કહહીને ટોણો માર્યો હતો.
મેં મારા વિસ્તારના 2 પુલ અને 1 રસ્તા માટે રાજીનામું આપ્યું હતુંઃરાઉલજી
વધુમાં રાઉલજીએ જણાવ્યું હતું કે લાલ ચંદનની ખેતી માટે વડાપ્રધાનને રૂબરૂ મળીને રજૂઆત કરીશ. મેં મારા વિસ્તારના 2 પુલ અને 1 રસ્તા માટે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. કોઈ પણ યોજના હોય, સરકારી યોજના હોય કે કોઈ સામાજીક બાબત હોય દરેકે પોતાની ફરજ સમજીને પ્રજાનું કામ થાય તે આ વાક્ય દરેક વ્યક્તિને લાગુ પડે છે. જેને લાગુ પડતું હોય તે સુધરી જાય.