છોટાઉદેપુરઃ સાંસદ રામસિંહ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ ગુરૂપૂર્ણિમાના દિવસે નસવાડી ખાતે આવેલા વિશ્વ ગુરૂનાથના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જોકે મંદિરના ટ્રસ્ટી અને મહંતોએ તેમને દર્શન કરવા દીધા ન હતા.
મંદિરમાં અંદર જવા માટે સાંસદ અને ધારાસભ્યને રોકવામા આવ્યા હતા. ત્યાર બાદ બન્ને નેતાઓ દરવાજા પરથી પરત ફર્યા હતા.
મહત્વનુ છે કે પાલ ગામ ખાતે વિશ્વ ગુરુનાથ મંદિરનુ નિર્માણ થઈ રહ્યુ છે. નિર્માણમાં ભાગદાર અને શ્રમદાન બનાવનારને જ દર્શનનો લાભ મળે તેવો આદેશ આપવામા આવ્યો છે. જેના કારણ સાંસદ અને ધારાસભ્યને દર્શન કરવા ન દેવામાં આવ્યા હતા.