ગુજરાતમાં આ અર્બન નક્સલ હવે નવા રંગ-રૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. વાઘા બદલીને અને ઉત્સાહી જુવાનીયાઓને ભરમાળી રહ્યા છે. - પીએમ મોદી
200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી PM મોદીએ ભરૂચવાસીઓનું સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
હું ગુજરાતમાં નક્સલવાદનો પગ પેસારો નહીં કરવા દઉં : PM
PM નરેન્દ્ર મોદી ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસને બીજો દિવસ થયો છે. તેઓએ આજે ભરૂચના આમોદમાં 8 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું અને સાથે જ આ દરમ્યાન PM મોદીએ ભરૂચવાસીઓનું સંબોધન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
સંબોધન કરતાં પીએમ મોદીએ ગુજરાતમાં પ્રવેશતા નક્સલવાદને લઈને બોલ્યા હતા કે, ' ગુજરાતમાં આ અર્બન નક્સલ હવે નવા રંગ-રૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. વાઘા બદલીને અને ઉત્સાહી જુવાનીયાઓને ભરમાળી રહ્યા છે. '
બંગાળનું આપ્યું ઉદાહરણ
આ સાથે જ બંગાળના નક્સલવાદનું ઉદાહરણ આપીને ગુજરાતના આદિવાસીઓને સંબોધતા પીએમ મોદી બોલ્યા હતા કે, ' ગુજરાતના મારા આદિવાસી ભાઈઓને હું ખાસ કહેવા માંગીશ કે બંગાળના નક્સલવાદ શરૂ થયો. ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશનો થોડો ભાગ, ઓડિશા, આંધ્ર-તેલંગણા અને મહારાષ્ટ્રમાં ગઢચિરોલી ત્યાંના અમારા આદિવાસી જુવાનીયાઓની જિંદગી એમને ખરાબ કરી નાખી. એમના હાથમાં બંદુકો પકડાવી દીધી. મોતના ખેલ ખેલવા માટે એમને ઉશ્કેર્યા. ચારે બાજુ સંકટ વધ્યો અને એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે ઉમરગામ થી લઈને અંબાજી સુધીનો આખો પૂર્વ પટ્ટો અને મારા ગુજરાતના આદિવાસીઓ.
ભરૂચમાં વડાપ્રધાન | ઉપરથી ઉડીને અર્બન નક્સલો હવે પગ પેસારો કરી રહ્યા છે, આ અર્બન નક્સલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું નક્કી કર્યું છે, પણ ગુજરાત તેમને જમીનદોસ્ત કરશે : PM #bharuch@PMOIndia@narendramodipic.twitter.com/Kn6ykWW3yG
હું ગુજરાતમાં નક્સલવાદનો પગ પેસારો નહીં કરવા દઉં : PM
હું ગુજરાતમાં નક્સલવાદને પગ પેસારો નહીં કરવા દઉં , મારે મારા આદિવાસી ભાઈઓ-બહેનોની જિંદગી બચાવી છે. મારે એમના જીવનમાં આ પ્રકારની બીમારી ન ઘૂસે એ માટે મહેનત કરવી અને એટલા માટે ઉમરગામ થી લઈને અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં વિકાસનું અમે બેડું ઉઠાવ્યું અને હું સંતોષ સાથે કહીશ કે મારી વાતને મારા આદિવાસી ભાઈઓ બહેનોએ સાંભળી અને અને માથે ચઢાવી અને સારા દિવસો આવશે એવો વિશ્વાસ રાખ્યો અને તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘૂસી ન શક્યું અને એ માટે હું મારા આદિવાસી ભાઈઓ બહેનોને પ્રણામ કરું છું.'
અર્બન નક્સલને ગુજરાત તેને જમીન દોસ્ત કરશે : PM
આગળ પીએમ મોદીએ કહ્યું હતું કે, ' હવે ઉપરથી ઉડીને અર્બન નકસલો પગપેસારો કરવા માંડ્યા છે અને ગુજરતની યુવા પેઢીને મારે તબાહ નથી થવા દેવાની. દરેક એમના સંતાનોને સચેત કરે કે આ અર્બન નકસલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું છે, વિદેશી તાકાતના એજન્ટો બનીને બેઠા છે અને તેની સામે ગુજરાત માથું નહીં નમાવે. ગુજરાત તેને જમીન દોસ્ત કરીને રહેશે એ વિશ્વાસે આગળ વધવું છે. એવા દિવસો હતા કે આપણે ત્યાં આદિવાસીઓ મુખ્યમંત્રી રહેલા પણ ઉમરગામ થી અંબાજી સુધી આંગળીને ટેરવે ગણાઈ એટલી પણ શાળાઓ નહતી.'
ભરૂચમાં વડાપ્રધાન | ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે: PM
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે: PM
વધુમાં ભરૂચના વિકાસની વાત કરતા PM મોદીએ કહ્યું કે, 'ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે. વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'
ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે: PM
ભરૂચમાં વડાપ્રધાન | ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે: PM
PM મોદીએ વિકાસને લઇને કટાક્ષ કરતા કહ્યું કે, 'જો વિકાસ કરવો હોય તો વાતાવરણ બરાબર જોઈએ, રુકાવટોવાળું વાતાવરણ ન ચાલે. વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી. PM મોદીએ જંબુસરમાં 2 હજાર 506 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. તો બીજી બાજુ દહેજમાં 558 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-1 અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ અને STP પ્લાન્ટનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું.
જાણો PM મોદીનો ભરૂચ બાદનો આજનો સંપૂર્ણ પ્રવાસ
PM મોદી આજે 4 જિલ્લાની મુલાકાતે
ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરની મુલાકાતે
PM મોદી ભરૂચ બાદ આણંદના કાર્યક્રમમાં આપશે હાજરી
વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં PM જનસભાને સંબોધશે
આણંદના શાસ્ત્રી મેદાનમા PM વિશાળ જનસભા સંબોધશે
આણંદ કાર્યક્રમ પૂર્ણ કરી PM અમદાવાદ પરત ફરશે
અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં આપશે હાજરી
બપોરે અમદાવાદથી જામનગર જવા રવાના થશે PM
જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે