સુરત: ગઇકાલે સમગ્ર રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં પણ મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અચાનક જ બોટમાં રાખેલી વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી.
મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. બોટમાં મૂર્તિ પડતા બોટસવારો નદીમાં પાણીમાં કુદ્યા હતા અને પોતાનો બચાવ કર્યો હતો.ચાલુ બોટમાં મૂર્તિ પડતી હોવાની ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે.
તમે વીડિયોમાં જોઇ શકો છો કે એક બોટમાં વિશાળકાય મહાકાયની મૂર્તિ વિસર્જન માટે લઇ જવામાં આવી રહી છે. ત્યારે કોઇ કારણોસર મૂર્તિ પાછળની તરફ નમવા લાગે છે. આ બોટમાં અનેક લોકો સવાર હતા. જેમાં મૂર્તિ ઢળી પડતા અનેક લોકો નદીમાં કુદી પડ્યા હતા. જ્યારે કેટલાક મૂર્તિ નીચે દબાયા હતા. ત્યારે આ ઘટનામાં કોઇ મોટી દુર્ઘટના બનવા પામી ન હતો.