સિંહના નિવાસસ્થાન ગણાતા એવા અમેરેલી જિલ્લાના મિતિયાળાના અભ્યારણ્યમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.
અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા અભયારણ્યમાં આગ
ફાયર ફાઇટર સાથે વનકર્મીઓ પણ લાગ્યા કામે
ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ
ઉલ્લેખનીય છે કે આગ સાવજોના નિવાસસ્થાન તરીકે જાણીતા ડુંગરાળ વિસ્તારમાં પ્રસરતા સ્થાનિક વન વિભાગ અને ફાયર વિભાગના કર્મચારીઓ દોડતા થયાં હતા. આ આગ રેવન્યું વિસ્તારમાં લાગી હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. જો કે, ફાયર વિભાગના જવાનોની અથાગ મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
સિંહના નિવાસસ્થાન ગણાતા એવા અમેરેલી જિલ્લાના મિતિયાળાના અભ્યારણ્યમાં આગની ઘટના , ફાયર ફાઇટર સાથે વનકર્મીઓ પણ લાગ્યા કામે #Gujaratpic.twitter.com/98bnPI6idc
આપને જણાવી દઇએ કે, મિતિયાળા અભ્યારણ્યમાં સિંહો સહિત દરેક વન્યજીવો વસવાટ કરી રહ્યાં છે. ખાસ કરીને આ વિસ્તારને સિંહના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તેવામાં અભ્યારણ્ય વિસ્તારમાં આગના અહેવાલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયાં હતા. જો કે, આગને કારણે કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી.