ત્રણ દિવસથી વરસી રહેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે અરવલ્લીમાં બરફનાં કરા સાથે પડેલ વરસાદને લીધે પાર નિષ્ફળ જવા પામ્યો છે.
કમોસમી વરસાદને કારણે ભારે તારાજી
માલપુર માં વરસાદથી વ્યાપક નુકસાન
પહડિયા ગામે બરફના ઢગલા
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં છુટો છવાયો વરસાદ થવા પામ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ છુટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ બરફનાં કરા પણ પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, કપાસ, રાઈ સહિતના પાકને નુકશાન થવા પામ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ કમોસમી વરસાદી આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.
ખેડૂતોનો ઘઉં અને મકાઈનું 700 વિઘાનું વાવેતર નિષ્ફળ
અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદથી ભારે તારાજી થવા પામી છે. માલપુર તાલુકાલમાં વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ત્યારે સુરાના પહડિયા ગામે આજે પણ બરફનાં ઢગ જોવા મળી રહ્યા છે. 15 કલાક વીત્યા પછી પણ હજુ ખેતરોમાં બરફનાં ઢગ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો ઘઉં અને મકાઈનું 700 વિધાનું વાવેતર નિષ્ફળ ગયું છે. ખેડૂતોની સરકાર પાસે વળતર આપવાની માંગ છે.