દેશમાં વધતી મોંઘવારીના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મોંઘવારીમાં પિસાઈ રહી છે જનતા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કરવામાં આવ્યા સવાલ
કોંગ્રેસ નેતાએ ફ્લાઈટમાં જ સવાલ શરૂ કર્યા
દેશમાં વધતી મોંઘવારીના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસૂજા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે મોંઘવારીના મુદ્દાને લઈને જબરદસ્ત બોલચાલી થઈ હતી. વીડિયોને નેટ્ટા ડિસૂજાએ ટ્વિટ કર્યો છે. હકીકતમાં જોઈએ તો, ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન જ્યારે ડિસૂજાએ ગેસ અને ઈંધણના ભાવને લઈને સ્મૃતિ ઈરાનીને સવાલ પૂછવાનું શરૂ કર્યા તો, તેના જવાબમાં ઈરાનીએ કહ્યું કે, ખોટુ ન બોલો. આપને જણાવી દઈએ કે, આ આખી ઘટના દિલ્હી-ગુવાહટી ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન થઈ હતી.
આપને જણાવી દઈએ કે, વીડિયોમાં જ્યારે ડિસૂજાએ રસોઈ ગેસના વધતા ભાવને લઈને સવાલ કર્યો તો સ્મૃતિ ઈરાનીએ મુસાફરોની અસુવિધાને જોતા રસ્તો આપવા કહ્યું. સ્મૃતિ ઈરાનીએ એવું પણ કહ્યું કે, ડિસૂજા ખોટુ બોલી રહી છે. બાદમાં બંને વચ્ચે મોંઘવારીને લઈને બોલચાલ થઈ હતી.
गुवाहाटी की फ़्लाइट में @smritiirani जी से सामना हुआ।
रसोई गैस की लगातार बढ़ती क़ीमतों पर सुनिए उनके जवाब 👇
महँगाई का ठीकरा,वे किन-किन चीज़ों पर फोड़ रहीं हैं !
जनता पूछे सवाल, स्मृति जी दें टाल !
वीडियो के अंशों में ज़रूर देखिये, मोदी सरकार की सच्चाई ! pic.twitter.com/fyV6ossGZm
કોંગ્રેસ નેતા ડિસૂજાએ ટ્વિટ કરીને કહ્યુંકે, રસોઈ ગેસના ભાવ સતત વધી રહ્યા છે, તેના પર સાંભળો સ્મૃતિ ઈરાનીનો જવાબ, મોંઘવારીનું ઠિકરુ તેઓ કોના પર ફોડી રહ્યા છે. જનતા પૂછે સવાલ, સ્મૃતિ ઈરાનીજી ટાળી દે છે. વીડિયોના અંશમાં જોઈ લો, મોદી સરકારની સચ્ચાઈ.
ડિસૂજાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, જ્યારે મેં સ્મૃતિ ઈરાનીને એલપીજીના વધતા ભાવ વિશે પૂછ્યો તો, તેમણે તેનું ઠીકરુ વેક્સિન, રાશન અને ત્યાં સુધી કે ગરીબો પર ફોડી દીધું. ડિસૂજાએ કહ્યું કે, 2014માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી તે પહેલા ગેસના ભાવ 415 રૂપિયાથી વધીને 435 રૂપિયા કરી દેવામાં આવ્યા તો ઈરાનીએ હળવો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશના નાગરિક તરીકે આ મારી ફરજ છે કે, હું મંત્રીજીનું ધ્યાન દોરું, જે તેઓ હાલમાં ભૂલી ગયા છે, જેને લઈને પહેલા તેમણે વિરોધ કર્યો હતો. શું આ ફક્ત સત્તામાં આવવા માટેના નાટકો હતા ? આપને જણાવી દઈએ કે, વધતી મોંઘવારીને લઈને જનતા ત્રસ્ત છે. છેલ્લા કેટલાય દિસોથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ તથા ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.