વડોદરા ખાતે આજે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓએ કાર થોભાવી પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી એ વડોદરા માં પાણીપુરીનો ચાખ્યો સ્વાદ
આજવા રોડ પર અચાનક પાણીપુરીની લારી પર કર્યું રોકાણ
કારમાં બેઠા બેઠા જ પાણી પૂરીનો સ્વાદ માણ્યો
વડોદરાનાં નવલખી મેદાન ખાતે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. ત્યારે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી લક્ષ્મીનારાયણ રિસોર્ટથી આજવા રોડ પર જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક પાણીપુરીની લારી પર તેઓએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રામદેવ ભેલ પકોડી સેન્ટર પર પાણીપુરી ખાધી હતી. તેઓએ પોતાની કારના કાફલો થોભાવી કારમાં બેઠા બેઠા જ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. ત્યારે પાણીપુરીનાં સંચાલકે આહો ભાગ્ય વ્યક્ત કર્યું હતું.
વડોદરા ખાતે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારમાં દૂર દૂરથી લોકો આવ્યા
બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત, અમદાવાદ, રાજકોટ બાદ વડોદરામાં આજે તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો. વડોદરાનાં નવલખી મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરાનાં નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો. ત્યારે આ દિવ્ય દરબારમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાતનાં અનેક વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે. અને ભક્તો રામધૂન અને હનુમાન ચાલીસાનાં પાઠ કરી રહ્યા છે. ભક્તોએ આ બાબતે જણાવ્યું હતું કે, બાબાને અરજી લગાવેલી છે અને અમારૂ કલ્યાણ થશે તેવી આશાથી ભક્તો નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા.