અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં મંદિરના શિલાન્યાસની તારીખ અંગે ચર્ચા કરાઈ અને હવે ફરી વાર PM મોદીને આમંત્રણ આપવામાં આવશે. 3 કલાક સુધી મંદિર ટ્રસ્ટની બેઠક ચાલી હતી જેમાં PM મોદીને શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે. આ બેઠકમાં મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે જેના પર અંતિમ નિર્ણય PMO તરફથી લેવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ
ફરી વાર PM મોદીને આમંત્રણ આપવામાં આવશે
PMOને મોકલાઈ 3 અને 5 ઓગસ્ટની તારીખ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પર બીજી બેઠકમાં મંદિર નિર્માણની તારીખ નક્કી કરીને વડાપ્રધાન મોદીને મોકલી આપવામાં આવી છે અને અંતિમ નિર્ણય વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. યુપીના અયોધ્યામાં થયેલ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચાંપત રાયે જણાવ્યું કે મંદિરનો પાયો નાખવા પહેલાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
ચંપત રાયે જણાવ્યું કે સોમપુરા દ્વારા જ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિર માટે પરિવારને દસ કરોડ રૂપિયા આપવામાં આવશે. શનિવારે સર્કિટ હાઉસમાં થયેલ બેઠકમાં મુખ્ય સચિવ અવનીશ અવસ્થી, કામેશ્વર ચૌપાલ, નૃત્યગોપાલદાસ, ગોવિંદ દેવ ગીરી મહારાજ અને દીનેન્દ્ર દાસ સહીત બીજા ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.
રામ મંદિર ટ્રસ્ટની બેઠક ચાર વાગ્યે શરુ થઇ હતી જેમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ મંદિર નિર્માણ માટે કેટલાક મોટા નિર્ણયો લીધા છે અને તેના પર ચર્ચા કરવામાં આવી.
આ પહેલા આરએસએસના સરકાર્યવાહક રહી ચુકેલા ડૉ. કૃષ્ણ ગોપાલ પણ અયોધ્યા પહોંચ્યા અને વીએચપી નેતા અને સંતો સાથે મુલાકાત કરી.
આ પહેલા મણીરામ છાવણી મઠના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે હવે મંદિરનું નિર્માણ શરુ કરી દેવું જોઈએ. મહંત નૃત્યગોપાલદાસે પીએમ મોદીને મંદિરની આધારશિલા મૂકવા માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. સંતોની માગ છે કે વડાપ્રધાન મોદી પોતે ત્યાં આવે અને મંદિર નિર્માણ શરુ કરવામાં આવે. પીએમ પહેલા જ આવવાના હતા પરંતુ કોરોના સંકટના કારણે તે થઇ શક્યું નહીં.
હવે પીએમ ત્રીજી કે પાંચમી ઓગસ્ટે અયોધ્યા આવે તેવી સંભાવના છે. જોકે હજુ સુધી તારીખ ફાઈનલ કરવામાં આવી નથી. રામલલા મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે માગ કરીને ટ્રસ્ટની બેઠકમાં પીએમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે જેથી વહેલામાં વહેલી તકે મંદિર નિર્માણ શરુ કરી શકાય. બાબરી મસ્જીદના પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું કે પીએમ મોદી અયોધ્યા આવશે તો તેમનું સ્વાગત કરશે. તેમણે વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે પાંચ એકર જમીન મુસ્લિમ સમાજને આપી છે તે ભૂમિ પર એક હોસ્પિટલ કે સ્કૂલનું નિર્માણ કરી દેવું જોઈએ.