આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્યમાં કુદરતી તિરંગા શણગાર જોવા મળ્યો
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કુદરતી તિરંગા શણગાર
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ નજીક સર્જાયું મેઘધનુષ્ય
મેઘધનુષ્ય સર્જાતા અદભૂત નજારો જોવા મળ્યો
સાતપુડા અને વીંદ્યાચલની ગિરી કન્દ્રા વચ્ચે જોવા મળ્યો અદભૂત નજારો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. આ દરમ્યાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કુદરતી તિરંગા શણગાર જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે, વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ નજીક મેઘધનુષ્ય સર્જાયું હતું. જોકે યોગાનુયોગ આ મેઘધનુષ્યમાં ભારતના રાષ્ટ્રધ્વજના રંગો જોવા મળ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કુદરતી તિરંગા શણગારનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કુદરતી તિરંગા શણગાર
નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક મેઘધનુષ્ય સર્જાયું હતું. જોકે મેઘધનુષ્ય સર્જાતા અદભૂત નજારો જોવા મળ્યો. કારણ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આ મેઘધનુષ્યમાં તિરંગા શણગાર જોવા મળ્યો હતો. સાતપુડા અને વીંદ્યાચલની ગિરી કન્દ્રા વચ્ચે આ અદભૂત નજારો જોવા મળ્યો હતો.
પાવાગઢ મંદિરમાં પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂકરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. આ વખતનો સ્વતંત્રતા પર્વ હંમેશને માટે યાદગાર બની રહેશે કારણ કે પહેલી વાર એવુ બનશે કે જ્યાં નજર પહોંચે ત્યાં આપણા દેશનો તિરંગો ગર્વની લહેરાતો દેખાશે. આ સ્વતંત્રતા પર્વ યાદગાર એટલે પણ બની રહેશે કારણ કે ક્યારેય ન બન્યુ હોય તેવા કાર્યક્રમોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે પાવાગઢ મંદિરમાં પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે.
મોઢેરા સૂર્યમંદિર ખાતે પણ ધ્વજ લહેરાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. જેને લઈ મોઢેરા સૂર્યમંદિર ખાતે 15મી ઑગષ્ટના રોજ આ વખતે પહેલીવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાશે. 12 બાય 8ની સાઇઝનો તિરંગો ફરકાવવામાં આવ્યો. જે હરહંમેશ માટે કાયમી ધોરણે સૂર્ય મંદિર ખાતે જ રખાશે. મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. ત્યારે આ અવસર આ વખતે યાદગાર બની રહેશે.