આણંદ જિલ્લના બોરસદમાં એક ખાનગી બસ રહેણાંક મકાનમાં ઘૂસી જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
બસ ધડાકાભેર મકાનમાં ઘૂસી ગઈ
બોરસદની સંસ્કારનગરી સોસાયટીની ઘટના
બોરસદમાં ખાનગી બસ મકાનમાં ઘૂસી ગઈ
આણંદ જિલ્લના બોરસદમાં એક ખાનગી બસ રહેણાંક મકાનમાં ઘૂસી જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી. બોરસદની સંસ્કારનગરી સોસાયચટીમાં ગફલતભરી રીતે બસ હંકારતા બસ ધડાકાભેર મકાનમાં ઘૂસી ગઇ હતી જે બાદ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ઘુસી જતા બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા જ્યારે કટેલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોતી. આ ઘટનાને લઈ આસપાસના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાઈવરને ઝડપી લીધો હતો. હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.