બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ જીત મળી છે, ત્યારે ભાજપના દિલ્હી મુખ્યાલય પર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
ભાજપે દિલ્હીમાં જીતનો વિજયોત્સવ મનાવ્યો
દિલ્હી મુખ્યાલય ખાતે પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને સંબોધ્યા
ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવીઃ PM મોદી
દિલ્હી મુખ્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તો ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ બિહારની ચૂંટણી અને ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશની પેટાચૂંટણીઓ પર ભાજપની જીત પર કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું આજે આભાર વ્યક્ત કરું છું મહાન દેશની મહાન જનતાનો. હું આજે ધન્યવાદ આપું છું દેશના કરોડો નાગરિકોનો. ધન્યવાદ એટલા માટે નહીં કે તેમણે ચૂંટણીઓમાં ભાજપને આટલી મોટી સફળતા આપી છે, તેના તેઓ હકદાર છે જ. ધન્યવાદ એટલા માટે કારણ કે લોકશાહીના આ મહાન પર્વને આપણે સૌ મળીને ખુબ ઉત્સાહથી મનાવ્યો છે.
ભાજપ પશ્ચિમમાં ગુજરાતમાં જીતીઃ PM મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપ પૂર્વમાં જીતી, મણિપુરમાં કમળનો ઝંડો લહેરાયો. ભાજપ પશ્ચિમમાં ગુજરાતમાં જીતી. ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવી. ભાજપ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જીતી અને ભાજપને દક્ષિણમાં કર્ણાટક-તેલંગાણામાં સફળતા મળી. ભાજપ જ એવી માત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જેમનો પરચમ દેશના નાગરિકોએ સમગ્ર દેશમાં લહેરાવ્યો.
भाजपा पूर्व में मणिपुर में जीती, पश्चिम में गुजरात में सभी सीटों पर जीती।
भाजपा ही एक मात्र ऐसी राष्ट्रीय पार्टी है जिसका परचम देश के नागरिकों ने ही पुरे देश में फहराया। : पीएम pic.twitter.com/NT9dFVk36L
રાજ્યના લોકોનો સ્નેહ ફરી એકવખત 8 પેટાચૂંટણીમાં જોવા મળ્યો છે જ્યાં સંપૂર્ણ જીત મેળવીઃ PM મોદી
મહત્વનું છે કે, ગઇકાલે ભાજપે ગુજરાતની તમામ 8 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારબાદ પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, હું વિજય રૂપાણીના વડપણ હેઠલની રાજ્ય સરકાર અને સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતને બિરદાવું છું. ગુજરાત અને ભાજપ વચ્ચેનું બંધન અતૂટ છે. રાજ્યના લોકોનો સ્નેહ ફરી એકવખત 8 પેટાચૂંટણીમાં જોવા મળ્યો છે જ્યાં સંપૂર્ણ જીત મેળવી છે. હું ગુજરાતના લોકોના સમર્થન બદલ આભાર માનું છું.
તો આ દરમિયાન પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર પરિવારવાદી પાર્ટીઓ અને એક જ પરિવારની પાર્ટીઓને લોકશાહી માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો.