મને લાગ્યું કે મારુ બચવું મુશ્કેલ છે. મેં નક્કી કરી લીધું હતું કે હું ત્રીજા માળથી કૂદીને મારુ જીવન ટૂંકાવી દઇશ. પણ હું બેડ પર થી ઊભો નહતો થઈ શકતો - શામ કૌશલ
શામ કૌશલ એટલા પરેશાન થઈ ગયા હતા કે સુસાઇડ કરવા વિશે પણ વિચારવા લાગ્યા હતા
હૃતિક રોશનની ફિલ્મ 'લક્ષ્ય' નું શુટ કરી રહ્યા હતા ત્યારે બગડી હતી તબિયત
અનુરાગ સાથે તેમને 'ગેંગ્સ ઓફ વાસેપુર'મા કામ કર્યું
બોલીવુડ એક્ટર વિક્કી કૌશલનાં પિતા શામ કૌશલને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 42 વર્ષ પુરા થઇ ગયા છે. દંગલ, પદ્માવત, ગેંગ્સ ઓફ વાસેપુર અને ગંગુબાઈ કાઠીયાવાડી જેવી ઘણી હિટ ફિલ્મો પપર એમને કામ કર્યું છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેના ચાર દશક પૂરા કરવા પર તેમને તેમનો સાથ આપનાર લોકો અને ભગવાનને ધન્યવાદ કહ્યું હતું. એક મીડિયા સાથે વાતચીત કરતાં શામ કૌશલે પહેલી વખત તેમને થયેલ કેન્સર પર ખૂલીને વાત કરી હતી.
પેટમાં થયું હતું કેન્સર
શામએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2003માં જ્યારે એ લદ્દાખમાં હૃતિક રોશનની ફિલ્મ 'લક્ષ્ય' નું શુટ કરી રહ્યા હતા ત્યારે જ તેને પેટમાં સમસ્યા થવા લાગી હતી. એ પછી બેનેગલની ફિલ્મ 'નેતાજી સુભાષચંદ્ર બોસ' ના શુટ સમયે દિવાળીની છુટ્ટી પર તેમના પેટના દુખવાની સમસ્યા ઘણી વધવા લાગી હતી. એ પછી નાણાવટી હોસ્પિટલમાં તેનું ચેકઅપ કરાયું હતું અને એ પછી સમસ્યામાં વધારો થતો ગયો હતો. એમને જણાવ્યું હતું કે એમનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું ત્યારે નાના પાટેકર તેની સાથે ગયા હતા. એ પછી બીજી વખત જ્યારે શામ હોસ્પિટલ ગયા ત્યારે હોસ્પિટલના લોકોએ નાનાને ત્યાં બોલાવ્યા હતા અને કહ્યું હતું કે શામને પેટમાં ઇન્ફેકશન થઈ ગયું છે અને ડોક્ટરે સેમ્પલ લઈને રિપોર્ટ કરાવવા મોકલ્યું ત્યારે ખબર પડી હતી કે તેને પેટમાં કેન્સર થઈ ગયું છે.
સુસાઇડ કરવા માંગતા હતા
આગળ વાત કરતાં શામ એ જણાવ્યું હતું કે તે એટલા પરેશાન થઈ ગયા હતા કે સુસાઇડ કરવા વિશે પણ વિચારવા લાગ્યા હતા. એમને કહ્યું હતું કે, ' મને લાગ્યું કે મારુ બચવું મુશ્કેલ છે. મેં નક્કી કરી લીધું હતું કે હું ત્રીજા માળથી કૂદીને મારુ જીવન ટૂંકાવી દઇશ. પણ હું બેડ પર થી ઊભો નહતો થઈ શકતો કારણ કે મારા પેટનું ઓપરેશન થયું હતું. મેં ભગવાનને પ્રાથના કરી કે આ બધુ ખતમ કરી દો. હું એક નાના ગામડાથી આવ્યો અને તમારી કૃપાથી મેં એક સારું જીવન વિતાવ્યું. જો તમે મને હજુ જીવતો રાખવા માંગો છો તો મને આ રીતે કમજોર ન બનાવો. એ પછી મને શાંતિ મળી હતી.'
અનુરાગ કશ્યપે આપ્યો સાથ
આગળ એમને કહ્યું હતું કે ઘણા લોકોએ એમનો સાથ આપ્યો હતો પણ એક ખાસ કિસ્સો શેર કરતાં એમને કહ્યું હતું કે 'ઓપરેશન પહેલા મેં એક ફિલ્મ સાઇન કરી હતી અને સાઇનિંગ અમાઉન્ટ પણ લઈ લીધી હતી. એ પછી આ બધુ થયું. જ્યારે હું શાંત થયો એ પછી મેં સાઇનિંગ અમાઉન્ટ પરત કરવા માટે ડિરેક્ટરને ફોન કર્યો ત્યારે એમને મને કહ્યું કે આ ફિલ્મ તમે સાઇન કરી છે તો હવે તમે ઠીક નહીં થઈ જાઓ ત્યાં સુધી અમે તમારી રાહ જોઈશું . અને એમને ખરેખર મારી રાહ જોઈ અને 50 દિવસ પછી જ્યારે હું હોસ્પિટલમાંથી પરત ફર્યો ત્યારે મેં એમની સાથે કામ કર્યું અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ હતા અને ફિલ્મ હતી બ્લેક ફ્રાઈડે.'
એ પછી અનુરાગ સાથે તેમને 'ગેંગ્સ ઓફ વાસેપુર'મા કામ કર્યું હતું જેમાં વિક્કી કૌશલ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. એ પછી અનુરાગ કશ્યપે વિક્કીને લીડ રોલમાં લઈને 'રમન રાઘવ 2.0' ફિલ્મ બનાવી હતી.