11 જાન્યુઆરી 2019મા રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ' ફરી એક વખત 26 જૂલાઇ એટલે કે કારગિલ દિવસ પર મોટા સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે.
જી હા, પરંતુ આ વખતે ફિલ્મને દેશભરમાં નહી પરંતુ મહારાષ્ટ્રના 500 થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ફરી રિલીઝ કરવાને લઇને પ્રોડ્યુસરનુ નિવદેન સામે આવ્યુ છે.
પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ કહ્યુ કે, ''આ ફિલ્મ બનાવવા માટેનો ઉદ્દેશ્ય, દેશવાસીઓના દિલમાં ગર્વ મહેસૂસ કરાવે છે. આ સાથે જ વાતનો અહેસાસ કરાવે છે કે આપણી સેના કેટલુ કમાલનું કામ કરે છે. હવે મને આ ફિલ્મને કારગિલ દિવસ પર રિલીઝ કરવા પર ગર્વ થઇ રહ્યો છે.''
'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' વર્ષ 2019ની પહેલી બ્લોકબ્સટર ફિલ્મ કહી શકાય. જણાવી દઇએ કે, આ ફિલ્મે ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે 18 સપ્ટેમ્બર 2016ના પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મૂ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના મિલિટ્રી બેસ પર અચાનકથી હુમલો કર્યો હતો જેમાં 19 સૈનિકો શહીદ થયા હતા. 11 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને કેમ્પને તબાહ કરી દીધા હતા. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મ લગભગ 40 કરોડના બજેટમાં બની છે.