કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્ર પર ભારે છે ત્યારે બોલીવૂડ તેની ઝપેટમાં આવી ગયુ છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.માધવન, આલિયા ભટ્ટ વગેરે પણ પોઝીટીવ આવ્યા છે. હવે અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ થયો છે.
બંને એક્ટર્સે પોતે સંક્રમિત થયા છે તે વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી. ભૂમિએ જણાવ્યું કે થોડા લક્ષણ હોવાની ખબર પડી કે તરત જ તે ઘરમાં ક્વોરંટાઇન થઇ ગઇ છે. તો વિક્કીનુ કહેવુ છે કે સંપૂર્ણ સાવધાની રાખી હોવા છતાં કોરોના પોઝીટીવ આવ્યો છું.
ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર પોઝીટીવ હોવાની વાત કહી હતી અને તેણે જણાવ્યું કે તેને થોડા લક્ષણ દેખાતા પોતાની જાતને ઘરમાં ક્વોરંટાઇન કરી લીધી છે અને બધા જ પ્રોટોકોલ ફોલો કરી રહી છે. સાથે જ તેણે જણાવ્યું કે છેલ્લા થોડા દિવસમાં જેટલા પણ લોકો તેના સંપર્કમાં આવ્યા છે તે લોકો કોરોના ટેસ્ટ કરાવી લે.
વિક્કીએ લખ્યું કે સંપૂર્ણ તકેદારી રાખી હોવા છતાં કોરોના પોઝીટીવ આવ્યા છે. સાથે તેણે પણ લખ્યું કે, જે લોકો થોડા દિવસમાં તેના સંપર્કમાં આવ્યા હોય તે લોકો તરત જ પોતાની તપાસ કરાવી લે.
આદિત્ય અને તેની પત્ની પણ પોઝીટીવ
રણબીર કપૂરથી શરૂ થયેલો સિલસીલો કાર્તિક આર્યન, આમિર ખાનથી લઇને આદિત્ય નારાયણ સુધી પહોંચ્યો છે. આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે બધાને નમસ્કાર, દુર્ભાગ્યથી મારી પત્ની શ્વેતા અને હું કોવિડ પોઝીટીવ આવ્યા છીએ. સુરક્ષિત રહો અને પ્રોટોકોલનુ પાલન કરો અને અમારા માટે પ્રાર્થના કરો, આ સમય પણ વિતી જશે.
કોરોનાની વેક્સિન આવ્યા બાદ બોલીવૂડ ધીમે ધીમે પોતાના કામ તરફ વળી રહ્યુ હતુ. તેણે રફ્તાર પકડી અને શૂટિંગ શરૂ થઇ રહ્યાં હતા પરંતુ એક બાદ એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મહત્વનુ છે કે આદિત્ય નારાયણ 1 ડિસેમ્બર 2020ના રોજ શ્વેતા સાથે લગ્નના સંબંધમાં બંધાયો હતો. ધૂમ ધામથી આદિત્યએ પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન કર્યા હતા.