હોળીની ઝાળ,અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા જોઈ જાણકાર વડીલ ખેડૂત દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જે અનેક વખત સચોટ સાબિત થઈ છે.
ગીરના જંગલમાં ખીલ્યા વિછુડાના ફૂલ
ગીરના લોકોમાં ફરી વરસાદની આશા
ત્રણ વર્ષ બાદ અતિ આકર્ષક ફૂલો ખીલ્યાં
જ્યારે ઈન્ટરનેટ, સેટેલાઈટ અને કમ્પ્યુટરનો જમાનો નહોતો ત્યારથી આપણે ત્યાં અવકાશી વિજ્ઞાન અને ખગોળિય વિદ્યાના આધારે વરસાદનો વરતારો જોવાની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ભડલી વાક્યો સહિતની આવી પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે. ખેડૂતો વિવિધ રીતે સારા વર્ષનું અનુમાન કરતાં હોય છે. તેમાં હોળીની ઝાળ, અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા, આકાશનો કસ, પ્રકૃતિની ગતિવિધિઓ વગેરેના આધારે જાણકારો અને વડીલ ખેડૂત દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જે અનેક વખત સચોટ સાબિત થઈ છે.
ગીરના જંગલમાં ખીલેલા વિછુડાના ફૂલ વરસાદનો વરતારો છે.
ગીરના જંગલમાં વિછુડાના ફૂલ ખીલતા ગીર કાંઠો રમણિય બન્યો છે.ગીર વિસ્તારમાં વિછુડાના ફૂલ ખીલવા એ વરસાદનો મોટો વર્તારો ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની આ માન્યતા હજુ સુધી સાચી ઠરતી આવી છે જ્યારે જ્યારે આ ફૂલ છોળે કલાએ ખીલ્યાં છે ત્યારે ત્યારે વરસાદ સારો રહ્યો છે. ત્યારે આ વખતે વરસાદી ધટની ચિંતા વચ્ચે ગીરમાં ખીલેલું આ ફૂલ ખેડૂતોની આશાનું કિરણ બન્યું છે.. વિછુડાના ફૂલ ખીલતા ગીરના લોકોમાં ફરી વરસાદની આશા બંધાઈ છે. ત્રણ વર્ષ બાદ અતિ આકર્ષક જંગલી ફૂલો ખીલ્યાં છે જેમા અનેક રોગોમાં વિછુડાના ફૂલનો ઉપયોગ થાય છે. આ વખતના વિછુડાના ફૂલમાં બંને કલરના લાલ અને પીળા ફૂલો ખીલી ઉઠ્યા છે જે વર્ષ ખેડૂતો માટે સારું રહેશે તેવા સંકેત આપી રહ્યા છે. આ સિવાય પણ અનેક રીતે વરસાદના વરતારાથી ખેડૂતો સારા ખરાબ વર્ષનું અનુમાન લગાવતા હોય છે.
વનસ્પતિના લક્ષણો
બોરડી, લીમડા, સરગવા, ખાખરા, આંબા તેમજ વિછુડાના ફૂલ દરેક વનસ્પતિમાં વર્ષે આવેલા ફૂલ પર વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ગીરના જંગલોમાં ત્રણ વર્ષ બાદ વિછુડાના ફૂલ સોળે કળાએ ખીલતા ચોમાસાના અંતમાં વરસાદની આશા બંધાઈ છે.
ચૈત્ર માસના દનૈયા
ચૈત્ર માસના દનૈયાના તપારા પર પણ વરસાદની આગાહી કરવામાં આવે છે. દિવસ ઠંડો રહે તો ઠંડુ દનૈયુ રહે છે.જે એકાદ નક્ષત્રમાં ઓછો વરસાદની સ્થિતિ દર્શાવે છે. જો તપેલા દનૈયામાં વરસાદ પડે તો દુષ્કાળની સંભાવના ઓછી થઈ જાય છે.
હોળીની ઝાળ
વરસાદ નક્કી કરવા માટે આ સૌથી વધુ પ્રચલિત તહેવાર છે. જાણકારો તો ઠીક સામાન્ય લોકો પણ આ દિવસે વરસના વરતારા માટે પવનની દિશા જોતા હોય છે. હોળીના દિવસે સૂર્ય આથમી ગયા બાદ ૯૬ મિનીટ પવનની દિશા જોવાની હોય છે.
અખાત્રીજનો પવન
અખાત્રીજના દિવસે સવારના સમયે સૂર્યોદય બાદ ૯૬ મિનીટ સુધી પવનની દિશા જોવાની હોય છે. ઉતરથી દક્ષિણ અને વાયવ્યમાંથી અગ્નિ દિશા તરફ ગયેલો પવનના કારણે સારો વરસાદ થવાની આગાહી હોય છે.