VHP એ કહ્યું કે બજરંગ દળ અંગે વોલ સ્ટ્રીટ જર્નલના ખોટા અહેવાલને આધારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફેસબુકની આડમાં સંગઠનને બદનામ કરવાનું કાવતરું કર્યું છે, આ મામલે તેમની માનસિકતાનો પર્દાફાશ થયો છે.
VHP એ રાહુલ ગાંધી પર લગાવ્યો મોટો આરોપ
VHP એ રાહુલ ગાંધી અને વૉલ સ્ટ્રીટ જર્નલની માફીની કરી માંગણી
ફેસબુક અને વોલ સ્ટ્રીટ જર્નલ જેવા પરિબળો દૂષિત હિન્દુ વિરોધી માનસિકતા વાળા : વિહિપ
વિશ્વ હિન્દુ પરિષદ VHP એ બજરંગ દળ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વોલ સ્ટ્રીટ જર્નલ પાસે માફી માંગવાની માંગ કરી છે. VHP એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાને અમેરિકન જર્નલમાં વિશ્વાસ છે પરંતુ રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રવાદી યુવા સંગઠન પર નહીં.
રાહુલ ગાંધીએ ફેસબૂકણી આડમાં સંગઠનને બદનામ કરવાની કોશિશ કરી : VHP
VHP એ શુક્રવારે કહ્યું હતું કે બજરંગ દળ અંગે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા કરવામાં આવેલા ખોટા અહેવાલને આધારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ ફેસબુકની આડમાં સંગઠનને બદનામ કરવાનું કાવતરું કર્યું છે તે રીતે તેમની માનસિકતાનો પર્દાફાશ થયો છે. વિહિપના જનરલ સેક્રેટરી મિલિંદ પરંડેએ આજે કહ્યું છે કે બજરંગ દળ જેવી રાષ્ટ્રવાદી સંગઠન રાહુલ ગાંધીની આખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે જ્યારે કે ટુકડે ટુકડે ગેંગ, CAA વિરોધીઓ અને દિલ્હીના તોફાનીઓ સહિત ઘણા દેશ વિરોધી તત્વોની સાથે રાહુલ ગાંધી ખડે પગે ઊભા રહે છે.
VHP ના મિલિંદ પરંડેએ રાહુલ પર નિશાન સાધતા કહ્યું હતું કે ચીન સાથેના તેના સંબંધો જાણીતા છે. તેઓ અમેરિકન જર્નલમાં વિશ્વાસ કરે છે પરંતુ રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રવાદી યુવા સંગઠન પર નહીં.બજરંગ દળ ની આડમાં વોલ સ્ટ્રીટ જર્નલની ભારતને બદનામ કરવાનું દૂ:સાહસ ક્યારેય સ્વીકારી નહીં શકાય, માટે આ મુદ્દે તેમણે વોલ સ્ટ્રીટ જર્નલની માફીની પણ માંગણી કરી હતી.
તેમણે કહ્યું કે અગાઉ વિકિલીક્સ દ્વારા કરવામાં આવેલા મીડિયા અહેવાલોથી સ્પષ્ટ થાય છે કે સોનિયા ગાંધીએ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવા માટે પણ અનેક કાવતરાં રચ્યા છે જેમાં તે સફળ થઈ શકી ન હતી. અમેરિકન વૉલસ્તરીત જર્નલ અને ફેસબુક આ માહિતી દ્વારા આ તેમની દૂષિત હિન્દુ વિરોધી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.
ફેસબુક ઇન્ડિયાએ શું કહ્યું ?
ફેસબુક ઇન્ડિયા ના વડા અજિત મોહન બુધવારે સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. બજરંગ દળ પર પ્રતિબંધ અંગેના પ્રશ્નના મામલે અજિત મોહને કહ્યું હતું કે કંપનીની ફેકટ ચેકિંગ ટીમને આવી કોઈ વસ્તુ મળી નથી જેના કારણે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની જરૂરિયાત અનુભવાય છે.
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ બજરંગ દળ પરના પ્રતિબંધ અંગે ફેસબુક ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે મીડિયા અહેવાલોને ટાંકીને કહ્યું હતું કે ફેસબુક US કહે છે કે બજરંગ દળની સામગ્રી આપત્તિજનક છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ , જ્યારે ફેસબુક ઇન્ડિયા સંસદીય સમિતિને કહે છે કે બજરંગ દળની સામગ્રી વાંધાજનક નથી. શું ફેસબુક ભારત અને તેની સંસદને જૂઠું બોલી રહ્યું છે?