વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી સ્થિત કુતુબ મિનારને લઈને એક મોટો દાવો કર્યો છે.
વિશ્વ હિંદુ પરિષદનો દાવો
દિલ્હી સ્થિત કુતુબ મીનાર છે વિષ્ણુ મંદિરનો ગરુડ સ્તંભ
સરકાર મંદિરોનું કરે પુનઃનિર્માણ
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ શનિવારે સરકારને કુતુબ મિનાર સંકુલમાં પ્રાચીન મંદિરોનું પુન:નિર્માણ કરવા અને ત્યાં હિન્દુ વિધિ ફરી શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે. વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ અને સંગઠનના અન્ય નેતાઓએ સ્મારક સંકુલની મુલાકાત લીધા બાદ આ માંગ ઉઠી હતી.
કુતુબ મિનારમાં 27 મંદિરોનું પુનઃનિર્માણ કરે સરકાર
કુતુબ મિનાર સંકુલની મુલાકાત વિશે પૂછવામાં આવતા બંસલે જણાવ્યું હતું કે, "અમે સ્મારકના મોટા ભાગની મુલાકાત લીધી હતી અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થિતિ જોઈને હ્રદયદ્રાવક હતું. કુતુબ મિનાર 27 મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું હતું. અમે માંગ કરીએ છીએ કે ભૂતકાળમાં તોડી પાડવામાં આવેલા તમામ 27 મંદિરોને ફરીથી બાંધવામાં આવે અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે."
કુતુબ મીનારમાં ગણેશની મૂર્તિઓને યોગ્ય જગ્યાએ રખાઈ
વિહિપે દાવો કર્યો છે કે કુતુબ મીનારમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિઓને કેટલાક હિન્દુ સંગઠનો અને ભાજપના નેતાઓ દ્વારા યોગ્ય જગ્યાએ રાખવામાં આવી છે.
વીએચપી નેતાઓએ લીધી કુતુબ મિનારની મુલાકાત
દરમિયાન શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કેટલાક પદાધિકારીઓ કુતુબ મિનારની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિહિપના નેતાઓએ સરકારને કુતુબ મિનાર હિંદુઓને સોંપવાની માંગ કરતા દાવો કર્યો હતો કે કુતુબ મીનારનું નિર્માણ કોઇ વિદેશીએ નથી કરાવ્યું પરંતુ તે વિષ્ણુ મંદિરનો ગરુડ સ્તંભ છે, જેને વિષ્ણુ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ વિષ્ણુ મંદિરની સાથે સાથે 27 હિન્દુ અને જૈન મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા અને કુતુબ મીનાર સંકુલમાં એક મિનાર અને મસ્જિદ બનાવવામાં આવી હતી. થાંભલાઓ અને દિવાલોની મૂર્તિઓ હજી પણ એ હકીકતની સાક્ષી આપે છે કે તે એક મંદિર હતું.