જાહેર ગરબા આયોજનમાં લવ જેહાદની ઘટનાથી અને છેડતીની ઘટનાથી મહિલાઓ અને યુવતીઓને બચાવવા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક્ટિવ થયું છે. ગઈકાલે અમદાવાદમાં
VHP, બજરંગદળના કાર્યકરો અને વિધર્મી યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
અમદાવાદમાં કેટલાક સ્થળે ગરબામાં પ્રવેશ્યા વિધર્મી
SP રિંગરોડના RK પાર્ટી પ્લોટમાં વિધર્મી પ્રવેશ્યા
VHP, બજરંગદળના કાર્યકરો સાથે સર્જાયું ઘર્ષણ
આદ્યશક્તિ મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે, કોરોનાના બે વર્ષ બાદ આ વખતે કોઈ રોકટોક વગર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં ગઈકાલે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાથે વિધર્મી યુવકોનું ઘર્ષણ સર્જાયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક્ટિવ
વિશ્વવિખ્યાત અને ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રી દરમિયાન ગરબાના મોટા આયોજનોને મંજૂરી આપવામાં આવી ન હતી. આ વખતે કોઈપણ પ્રતિબંધ વિના નવરાત્રીનું આયોજન થઈ રહ્યુ છે. ગરબા પ્રેમીઓ મન મૂકીને ગરબે ઝુમી રહ્યા છે. ત્યારે જાહેર ગરબા આયોજનનમાં લવ જેહાદની ઘટનાથી અને છેડતીની ઘટનાથી મહિલાઓ અને યુવતીઓને બચાવવા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક્ટિવ થયું છે. વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે.
SP રિંગ રોડના પાર્ટી પ્લોટમાં હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકિંગ
અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ગઈકાલે અચાનક વીએચપી અને બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા હતા. આ દરમિયાન બે વિધર્મી યુવકો સાથે બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ ગરબાના સ્થળ પાસે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન બંને ગરબા સ્થળેથી નાસી છૂટ્યા હતા.
બજરંગ દળના કાર્યકરોએ શીખવાડ્યો સબકઃ જ્વલિત મહેતા
આ અંગે બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ જણાવ્યું કે, લવ જેહાદના પ્રશ્નો બને નહીં એ માટે દર વર્ષે બજરંગ દળ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે પણ એક પાર્ટી પ્લોટમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કાર્યકરો દ્વારા દરેકના આઈડી પ્રુફ ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વિધર્મી યુવકો મળી આવ્યા હતા. જેઓને બજરંગ દળના કાર્યકરોએ સબક પણ શીખવાડ્યો હતો.
આખી નવરાત્રી દરમિયાન હાથ ધરાશે ચેકિંગ
તેમણે જણાવ્યું કે, આ ચેકિંગ આખી નવરાત્રી દરમિયાન ચલાવવામાં આવશે. અત્યારે અમદાવાદમાં 6 ટીમ ચેકિંગ કરી રહી છે, જ્યારે ગુજરાતભરમાં 28 ટીમો ગરબા સ્થળે જઈને ચેકિંગ કરી રહી છે.