સંગીત જગતનો જાણીતો ચહેરો એવા ફેમસ સિંગર વાણી જયરામનું 78 વર્ષની વયે ચેન્નઈમાં અવસાન થયું છે.
સંગીત જગતને પડી મોટી ખોટ
78 વર્ષીય પ્લેબેક સિંગર વાણી જયરામનું અવસાન
ચેન્નઈમાં તેમના ઘેર મૃતપાય હાલતમાં મળ્યાં
માથા પર વાગેલાનું નિશાન હોવાના સમાચાર
ગઈ 26 જાન્યુઆરીએ મળ્યો હતો પદ્મ ભૂષણ
સંગીત જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા લેજન્ડરી સિંગર વાણી જયરામ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ચેન્નાઇમાં પોતાના ઘેર તેઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેમના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને સર્વત્ર શોકનું મોજુ ફરી વળ્યું છે. સિંગર વાણી જયરામ 78 વર્ષના હતા.
Veteran singer Vani Jayaram was found dead at her residence, says Chennai Police
હજુ તો થોડા દિવસ પહેલા મળ્યો પદ્મ ભૂષણ
આ ગઈ જાન્યુઆરીએ વાણી જયરામને દેશના ત્રીજા મોટા પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.
I rang the bell five times at Vani Jairam's residence. But she didn't open the door. Even my husband called her up but she didn't receive the call. It's only she who stays at this residence: Malarkodi, Vani Jairam's maid pic.twitter.com/zspzpKhEGg
કોણ હતા વાણી જયરામ
પ્રતિભાશાળી સિંગર વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલુ અને ઉડિયામાં સંખ્યાબંધ ગીતો ગાયા છે. તેમણે દેશ અને દુનિયાભરમાં પણ અનેક પ્રોગ્રામો આપ્યા હતા. નોંધનીય છે કે તેઓ ત્રણ વાર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમણે તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ મેળવ્યા છે. વાણી જયરામે તાજેતરમાં જ પ્રોફેશનલ સિંગર તરીકે 50 વર્ષ પૂર્ણ કર્યા હતા અને 10,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમણે એમ.એસ.ઇલૈયારાજા, આર.ડી.બર્મન, કે.વી.મહાદેવન, ઓ.પી.નૈયર અને મદન મોહન સહિતના દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે.
હમકો મન કી શક્તિ દેના સહિત ઘણા હિંદી ગીતોને સૂર આપ્યો
વાણી જયરામે ઘણા લોકપ્રિય હિંદી ગીતો ગાયા છે જેમાં બોલે રે પપીહરા, હમકો મન કી શક્તિ દેના, પ્યાર કભી કમ ના કરના, સનમ, મેરા કર દો અમર સુહાગ, યે રૂપ તેરા ફૂલ સા ચેહરા, દિલબર મેરે, દિલ મેં દર્દ અને હરિ બિન કૈસે જૌન જેવા ગીતોનો સમાવેશ થાય છે.