અગાઉ પક્ષ દ્વારા પરિવારવાદને જાકારો આપવાનું જાહેર કરાયેલું છે. તેવાં હવે જોવાનું એ રહે છે કે, ભાજપમાં પક્ષના ધારાસભ્ય કે મંત્રીના પુત્રો કે કુટુંબીજનોને ટિકિટ મળે છે કે કેમ ?
વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની કવાયત
ભાજપમાં પિતા પછી પુત્ર માટે ટિકિટની લો્બિંગની ચર્ચા
સાંસદો અને ધારાસભ્યો પુત્રને અપાવવા માગે છે ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો હવે એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ તરફ હવે ભાજપમાં પિતા પછી પુત્ર માટે ટિકિટની લોબિંગની ચર્ચા શરૂ થઇ છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંધાણી પોતાના પુત્રને ઉમેદવાર બનાવવા માગે છે. સાથે પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ પોતાના પુત્રને ધોરાજી બેઠક પર ટિકિટ અપાવવા માગે છે, જ્યારે પોરબંદર બેઠક પર બાબુ બોખરીયાએ પોતાના પુત્ર માટે ટિકિટ માંગ્યાની ચર્ચા શરૂ થઇ છે. સાથે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ઝંપલાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં હવે ભાજપમાં પણ પિતા પછી પુત્ર માટે ટિકિટની લોબિંગની ચર્ચા શરૂ થઇ છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પક્ષ દ્વારા પરિવારવાદને જાકારો આપવાનું જાહેર કરાયેલું છે. તેવાં હવે જોવાનું એ રહે છે કે, ભાજપમાં પક્ષના ધારાસભ્ય કે મંત્રીના પુત્રો કે કુટુંબીજનોને ટિકિટ મળે છે કે કેમ ? એક ચર્ચા મુજબ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંધાણી પોતાના પુત્રને ઉમેદવાર બનાવવા માંગતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાત ભાજપમાં પિતા પછી પુત્ર માટે ટિકિટની લોબિંગની ચર્ચા
ગુજરાત ભાજપમાં હવે પિતા પછી પુત્ર માટે ટિકિટની લોબિંગની ચર્ચાએ જોર પકડયું છે. જેમાં પૂર્વ મંત્રી દિલીપ સંધાણી પોતાના પુત્રને ઉમેદવાર બનાવવા તૈયાર અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકની નજર ધોરાજી બેઠક પર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રમેશ ધડુક ધોરાજી બેઠક પર પોતાના પુત્રને ઉમેદવાર બનાવવા માંગે છે. નોંધનીય છે કે, ધોરાજી બેઠક 2017માં કોંગેસને મળી હતી. તો વળી પોરબંદર બેઠક પર બાબુ બોખરીયાએ પુત્ર માટે ટિકિટ માંગ્યાની ચર્ચા પણ છે. આ સાથે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ઝંપલાવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર ભાજપ વર્તુળોમાં પિતા પુત્રને રાજકારણમાં લાવવા કવાયતની ચર્ચાએ ભારે જોર પકડયું છે.
ચૂંટણી પહેલા સામાજિક રાજકારણ
ગુજરાત વિધાનસભા ચૂંટણી દર વખતે પ્રભુત્વ ધરાવતા સમાજની આસપાસ લડાય છે. પાટીદાર, કોળી, ઠાકોર કે અન્ય કોઈ પણ સમાજ જેના મત વધારે તેણે વધુ ટિકિટની ફોર્મ્યુલા દરેક પક્ષ અપનાવતું હોય છે. પણ ચૂંટણીમાં પોતાના સમાજના સ્તંભ વધુ મજબૂત કરવા સામાજિક આગેવાનો પક્ષ પર પ્રેશર પોલિટીક્સ કરતાં હોય છે. આજે પહેલા પાટીદાર સમાજના આગેવાન બાદ ક્ષત્રિય સમાજે પણ ચૂંટણીમાં સામર્થ્ય પ્રમાણે ટિકિટ આપવાની માંગ અત્યારથી તેજ કરી છે.
25થી 30 બેઠકો પર ક્ષત્રિય સમાજને ટિકિટ મળે: કરણી સેના
વિધાનસભાની ચૂંટણીને લઇને હવે સામાજિક રાજકારણની શરૂઆત થઇ ગઇ છે.પહેલા પાટીદાર સમાજ અને હવે ક્ષત્રિય સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરી છે. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર વિવિધ પક્ષો પાસે ટિકિટ ની માંગ કરી છે.
50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે: જયરામ પટેલ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલએ પત્રકાર પરિષદ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.