ટીવી અને ફિલ્મોમાં મા નો રોલ નિભાવનારી રીટા ભાદુરીનું નિધન થઇ ગયું છે. આ સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. રીટી ટીવી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો રહી છે. રીટાના નિધનની જાણકારી સીનિયર અભિનેતા શિશિર શર્માએ સોશિયલ મીડિયા પર આપી.
મળતી માહિતી અનુસાર 10 દિવસથી રીટા ભાદુરી હોસ્પિટલમાં એડમિટ હતી. ઘણા સમયથી એને કિડનીમાં સમસ્યા હતી જેના કારણે દર બીજા દિવસે એમને ડાયાલિસિસ માટે જવું પડતું હતું. ખરાબ સ્વાસ્થ્ય છતાં રીટા એના શૂટિંગને પૂરું કરી રહી હતી. જ્યારે પણ એમને ખાલી સમય મળે એ સેટ પર જ આરામ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે ડાયલિસિસ દરમિયાન પણ તેઓ ટીવી શો ‘નિમ કી મુખિયા’ જેમાં તેઓ ઇમરતી દેવીનું કિરદાર નિભાવી રહી હતી. તેનું શૂટિંગ કરતી હતી. આ અંગે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મોટી ઉંમરને લઇને થનારી બિમારીઓના કારણે કામ કરવાનું પણ છોડી દે. મને કામ કરવું પસંદ છે અને વ્યસ્ત રહેવાનું પસંદ છે. મને દરેક સમયે પોતાની બિમાર અંગે વિચારવાનું પસંદ નથી જેના કારણે હું મારી જાતને સૌથી વ્યસ્ત રાખું છે. તેઓની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગે નીકળશે.