બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે અવસાન થયું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ અભિનેતાના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રતિભાનું પાવરહાઉસ ગણાવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતાના નિધન પર તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, ઋષિ કપૂર જી પ્રિય અને જીવંત વ્યક્તિ હતા. તેઓ પ્રતિભાના પાવરહાઉસ હતા. હું સોશિયલ મીડિયા પર તેમની સાથેની મારી વાતચીતને હંમેશાં યાદ રાખીશ. તેઓ ફિલ્મો અને ભારતની પ્રગતિ માટે ઉત્સાહી હતા. તેમના નિધનથી હું દુઃખી થયો છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.'
Multifaceted, endearing and lively...this was Rishi Kapoor Ji. He was a powerhouse of talent. I will always recall our interactions, even on social media. He was passionate about films and India’s progress. Anguished by his demise. Condolences to his family and fans. Om Shanti.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ऋषि कपूर के असामयिक निधन से गहरा दुःख हुआ है। उनके सदाबहार और प्रसन्नचित्त व्यक्तित्व तथा ऊर्जा के कारण यह विश्वास करना मुश्किल है कि वे नहीं रहे। उनका निधन सिने जगत के लिए अपूरणीय क्षति है। उनके परिवार, शुभचिंतकों और प्रशंसकों के प्रति मेरी शोक संवेदनाएं।
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Pained to know about the passing away of legendary actor Rishi Kapoor ji. He was an institution in himself. Rishi ji’s demise is an irreparable loss for Indian cinema. He will always be remembered for his exceptional acting skills. Condolences to his family & followers. Om Shanti
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ટ્વિટ કરી લખ્યું ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધનથી ઘણો દુઃખી છું. તેમના નિધનથી દેશમાંથી એક સારો અભિનેતા ગુમાવી દીધો છે.
Deeply saddened to learn about the demise of veteran Hindi film actor, Shri Rishi Kapoor. The talented actor essayed many roles with aplomb & was popular for his romantic films. In his passing away, the nation lost a beloved son and film industry lost a gem. pic.twitter.com/vpXvfLO29Q
— Vice President of India (@VPSecretariat) April 30, 2020
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે તેમના મૃત્યુને શોક આપતા લખ્યું, 'અભિનેતા ઋષિ કપૂરનું અચાનક નિધન આઘાતજનક છે. તેઓ માત્ર એક મહાન અભિનેતા જ નહીં, એક સારા વ્યક્તિ પણ હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.'
The sudden demise of actor Rishi Kapoor is shocking. He was not only a great actor but a good human being. Heartfelt condolences to his family, friends and fans. Om Shanti
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, 'અભિનેતા ઋષિ કપૂરના અચાનક નિધનથી દુઃખ પહોંચ્યું છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ભારતીયની ઘણી પેઢીઓનું મનોરંજન કર્યું. તેમનું જવું એક ભારે નુકસાન જેવું છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યેની મારી સંવેદના. તેના આત્માને શાંતિ મળે.'
Deeply saddened by the sudden demise of actor Rishi Kapoor. He entertained several generations of Indians throughout his career. What a terrible loss.. My condolences to the grieving family. May God bless his soul.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, 'ભારતીય સિનેમા માટે આ ખરાબ અઠવાડિયું સાબિત થયું છે. જેમાં એક વધુ જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું. આ એક અદ્દભૂત અભિનેતા છે જેમની ચાહક અનેક પેઢીઓ છે, તેઓને ઘણા યાદ કરવામાં આવશે. દુખના આ સમયે હું તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
This is a terrible week for Indian cinema, with the passing of another legend, actor Rishi Kapoor. A wonderful actor, with a huge fan following across generations, he will be greatly missed. My condolences to his family, friends & fans all over the world, at this time of grief.
ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે ઋષિકપૂરના નિધન પર દૂઃખ વ્યક્ત કરતાં લખ્યું કે જૂનું સિનેમાના સમયને નવા સિનેમાના સમય સાથે જોડનાર મહાન કલાકાર ઋષિકપૂર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ભારતીય સિનેમા માટે આ ઘણો દૂર્ભાગ્યપૂર્ણ સમય છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.