ખિલાડી, બાદશાહ અને 36 ચાઇના ટાઉન જેવી જાણીતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ફેમસ વેટરન એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું બુધવાર સવારે નિધન થયું છે. દિનયારને આ વર્ષે પદ્મશ્રી થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
જાણીતા અભિનેતા દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થઇ ગયું છે. તેઓ 79 વર્ષના હતા અને વધતી ઉંમરના કારણે મુશ્કેલીઓથી પીડાઇ રહ્યા હતા. બુધવારે સવારે જ એમને અંતિમ શ્વાસ લીધા, આજે બપોરે સાડા ત્રણ વાગ્યે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
એમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. એમને એક ફોટો શેર કરતાં ટ્વિટ કર્યું, પદ્મશ્રી શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ જ ખાસ હતા કારણ કે એમને દુનિયામાં ખૂબ જ ખુશીઓ વહેંચી છે. એમની વર્સેટાઇલ એક્ટિંગથી ઘણા ચહેરા પર સ્માઇલ આવી, એ થિયેટર હોય, ટીવી અથવા ફિલ્મો એમને દરેક માધ્યમમાં કમાલનું કામ કર્યું. એમના નિધનના સમાચાર સાંભળીને દુખ થયું. એમના પરિવાર અને પ્રશંસકોની સાથે મારી સંવેદનાઓ છે.
Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/yV8JswP1g1
દિનયારએ બાઝીગર, ખિલાડી, અને 36 ચાઇના ટાઉન જેવી શાનદાર ફિલ્મો આપી. તો ક્યારેત પોપ્યુલર ટીવી શો માં પણ નજરે પડ્યા. એમની શરૂઆત એક થિયેટર આર્ટિસ્ટ તરીકે થઇ હતી.