કેનેડા જવા વાળા લોકો માટે ખુબ સારા સામાચાર સામે આવી રહ્યાં છે. કેનેડાએ લગભગ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
કેનેડા પાંચ મહિના બાદ પ્રતિબંધ હટાવ્યો
કેનેડાએ શનિવારે આ અંગે ટ્વિચ કરીને જાહેરાત કરી
કેનાડાની યાત્રા માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ જરૂરી
કેનેડા પાંચ મહિના બાદ પ્રતિબંધ હટાવ્યો
કેનેડા જતા ભારતીયો માટે એક ઘણા સારા અને અગત્યના સમાચાર છે. હવે કેનેડાએ ભારત આવતી સીધી ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. હવે સોમવારે એટલે 27મી સપ્ટેમ્બરથી ભારતીય ફ્લાઈ્ટસ ફરીથી કેનેડા માટે ઉડાન ભરી શકશે કેનેડાએ લગભગ પાંચ મહિના બાદ આ પ્રતિબંઘ હટાવી લીધો છે
કેનાડાની યાત્રા માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ જરૂરી
ટ્રાન્સપોર્ટ કેનેડાએ જણાવ્યું હતું કે, મુસાફરોનો દિલ્હી એરપોર્ટની માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ. આ રિપોર્ટ કેનેડાની સીધી ફ્લાઈટથી ઓછામાં ઓછા 18 કલાકનો હોવો જોઈએ
#ICYMI: Beginning at 00:01 EDT on September 27, direct flights from India can land in Canada with additional public health measures in place. (1/2)
ટ્રાન્સપોર્ટ કેનેડાએ શનિવારે આ અંગે ટ્વિચ કરીને જાહેરાત કરી
શનિવારે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વિટ કર્યું હતું દેમાં જણાવ્યું હતું કે, અગામી 27મી સપ્ટેમ્બરથી ભારતથી સીધી ફ્લાઈટ્સ કેનેડામાં ઉતરી શકશે. આ માટે વધારાના જાહેર આરોગ્યના પગલાં અમલમાં મૂકવામાં આવશે.
પહેલા ઘણી વાર મંજૂરી માટે તારીખ બદલાઈ
મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં કેનેડાએ ભારત આવવા -જવાની તમામ સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે દેશભરમાં કોવિડ -19 મહામારીની બીજી લહેર ચાલી રહી હતી. ભારતથી સીધી ફ્લાઇટ્સને મંજૂરી આપવાની તારીખ ઘણી વખત બદલવામાં આવી હતી. કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે હવાઈ જોડાણને સામાન્ય બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું છે.