પુલવામામાં સીઆરપીએફ જવાનો પર કાયરતા ભર્યા હુમલો બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખતરનાક બતાવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે આ મામલે ભારત કંઇ મોટુ કરવાનું વિચારી રહ્યું છે.
વોશિંગટનમાં આવેલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું કે આ સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી ખતરનાક વસ્તુ ચાલી રહી છે.
આ એક ઘણી વિકટ પરિસ્થિત છે. બંને દેશ વચ્ચે સંબંધો વણસી રહ્યાં છે. અમે લોકો ઇચ્છીએ છીએ કે આ બંધ થાય, થોડા દિવસ પહેલા જ ઘણા લોકો માર્યા ગયા હતા.
અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે મને લાગે છે કે આ હુમલા બાદ ભારત કડક વલણ અપનાવી મોટુ પગલુ ભરી શકે છે. ટ્રમ્પના જણાવ્યાઅનુસાર ભારત કોઇ કડક કાર્યવાહી પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. હુમલા બાદ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનનો પ્રમુખ આતંકી મૌલાના મસૂદ અઝહર છે.