કોરોના ટેસ્ટ મામલે સરકારે નવો એક્શન પ્લાન ઘડ્યો છે. હવે જો વ્યક્તિમાં સુંઘવાની ક્ષમતા ઘટશે તો પણ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્વાદ ન પારખી શકવાનું લક્ષણ હશે તો પણ ટેસ્ટ કરાવાશે. ICMRની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જાન્યુઆરીમાં ટેસ્ટિંગનું પ્રથમ રૂપ નક્કી થયું હતું ત્યારે તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થાય તો ટેસ્ટ થતા હતા. હવે અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે 13 લક્ષણને સામેલ કરાયા છે. હવે પછી સૂંઘવા અને સ્વાદ લેવામાં તકલીફ પડે તો પણ ટેસ્ટ કરાશે.
કોરોનાના વધુ કેટલાક લક્ષણ અંગે થયો ખુલાસો
સુંઘવાની ક્ષમતા ઘટવી કે સ્વાદ ન પારખી શકો તો કોરોના હોઈ શકે
સરકાર કોરોના મુદ્દે બનાવી રહી છે નવો એક્શન પ્લાન
તાવ અને ઉધરસ વાળા દર્દીની સંખ્યા હજુ પણ વધુ
એપ્રિલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને અનેક યુરોપીય સંધ દેશોએ મળીને સ્વાદ અને સુગંધની ખામીને પણ એક લક્ષણ તરીકે જોડ્યું હતું. યૂકે એ આ લક્ષણને 18 મેએ પોતાની સૂચિમાં જોડ્યું હતું. નક્કી માપદંડને કારણે કોરોનાને ઓળખવામાં મદદ મળી શકે છે.
જાણીતા ડોક્ટરનું માનવું છે કે સૂંઘવાની ક્ષમતા ખોવ્યા બાદ મોટી સંખ્યામાં સ્વાદ પારખવાની શક્તિને લઈને લોકો ટેસ્ટ કરાવવા ઈચ્છે છે.તાવ, ગળામાં ખારાશ અને સાથે ખાંસીના દર્દીની સાથે અનેક લોકોની તુલના કરી શકાતી નથી. લક્ષણોની સાથે કોરોનાના રોગીને જોઈને તેમનું પરીક્ષણ કરાય છે. આ છે સરકારનો નવો એક્શન પ્લાન
કોરોના ટેસ્ટ મામલે સરકારનો નવો એક્શન પ્લાન
સુંઘવાની ક્ષમતા ઘટશે તો પણ કરાવશે કોરોના ટેસ્ટ.
સ્વાદ ન પારખી શકવાનું લક્ષણ હશે તો પણ ટેસ્ટ કરાવશે.
ICMRની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
જાન્યુઆરીમાં ટેસ્ટિંગનું પ્રથમ રૂપ નક્કી થયું હતું.
તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થાય તો ટેસ્ટ થતા હતા .
બાદમાં ગેસ, ડાયેરિયા, ઊલટીના લક્ષણને પણ જોડાયા હતા.
અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે 13 લક્ષણને સામેલ કરાયા છે.
હવે સુંઘવા અને સ્વાદ લેવામાં તકલીફ પડે તો પણ ટેસ્ટ કરાશે.