પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે આજે પંચકુલાની સ્પેશિયલ CBI કોર્ટમાં ચુકાદો આવ્યો છે. આ મામલામાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીતસિંહ રામ રહીમ આરોપી છે. પત્રકાર રામ રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે ડેરાના રામ રહીમને કોર્ટે દોષી જાહેર કર્યાં છે. આ કેસમાં કોર્ટ 17મી જાન્યુઆરી સજાનું એલાન કરશે. 2002ના સિરસામાં પત્રકાર હત્યા થઇ હતી.
રામ રહીમ હાલ રોહતકની સુનારિયાજેલમાં બંધ છે અને તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. જયારે આ ચુકાદાને પગલે સુનારિયા જેલ અને CBI કોર્ટ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
16 વર્ષ જૂના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલે સુનાવણી ગત સપ્તાહે પૂર્ણ થઈ હતી. સાધ્વી દુષ્કર્મ મામલે રામ રહીમને સજા સંભળાવનાર જજ જગદીપસિંહ જ આ હત્યાકાંડમાં પણ ચુકાદો આપશે.
આ ચુકાદાને પગલે પંજાબ અને હરિયાણાના 8 જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 25 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. પંચકૂલમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
અહીં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જ્જની સુરક્ષા વધારી દઇને કોર્ટ પરિસરમાં જ 240 જવાન તૈનાત કરી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં પંચકૂલાના ચાર અંદર આવવાના દરવાજા સહિત 17 જગ્યાઓ પર 1200 સશસ્ત્ર જવાન તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પત્રકાર છત્રપતિ હત્યાકાંડ મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઇ કોર્ટ આજરોજ પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે.
જેમાં મુખ્ય આરોપી ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેને લઇને પંજાબ-હરિયાણાના કેટલાક જિલ્લા સહિત ચંદીગઢમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.