આ મેરેથોનમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગર પાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કોરોનાના વધતા કેસ વચ્ચે નિયમોનું ઉલ્લંઘન
વેરાવળમાં મેરેથોન દોડમાં લોકો થયા એકઠા
સતત વધતા કેસ વચ્ચે નેતાઓ બેદરકાર
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
ગુજરાત રાજ્યમાં ઘાતક વાયરસનો કહેર એ હદે વધ્યો છે કે સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરો વધારો થઈ રહ્યો છે, કોરોના તો ખરો સાથે સાથે ઓમિક્રોનના કેસો પણ વધ્યો છે, આ વચ્ચે શિસ્તબદ્ધ પક્ષએ વધુ એક વખત કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડાડ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા.આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
કોરોનાના વધતા કેસ વચ્ચે વેરાવળમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે.
વેરાવળમાં મેરેથોન દોડ દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકો એકઠા કરાયા. જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે લોકોના મનમાં ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે છે. જેને લઇ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. આ સાથે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં રહેતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સળગતા સવાલ
- કોરોનાના વધતા કેસ વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કેમ?
- મેરેથોન દોડમાં કેમ નિયમોનું પાલન ન કરાયું?
- અત્યારે આવું આયોજન કરવાની જ શું જરૂર?
- શું નેતાઓને કાયદાનો કોઇ ડર જ નથી?
- સાંસદ રાજેશ ચુડાસમાને નિયમોનું કઇ ભાન નથી?
- સાંસદની સામે જ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા
- પોલીસ કેમ આવા આયોજકો સામે કાર્યવાહી નથી કરતી?
- નેતાઓને પોલીસ કાર્યવાહીનો કોઇ ડર જ નથી?
- પોલીસ નેતાઓ સામે કેમ કાર્યવાહી નથી કરતી?
- ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરે અને કાર્યવાહી નહીં?
- સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કેમ કોઇ પગલા નથી લેતું?