ગીર સોમનાથના વેરાવળમાં ભીડિયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના 2 બાળકોના રહસ્યમય મોત થયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે
વેરાવળમાં 2 બાળકોના રહસ્યમય મોત
શ્રમિક પરિવારના હતા બાળકો
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ
ગીર સોમનાથના વેરાવળમાં 2 બાળકોના રહસ્યમય રીતે મોત થયા છે. ભીડિયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકો હતા. અઢી વર્ષની બાળકીનું અચાનક જ મોત થયા બાદમાં 4 વર્ષીય પુત્રનું પણ મોત નીપજ્યું હતું. જે બાદ 5 વર્ષની પુત્રી અને માતાની પણ તબિયત લથડી છે.
2 બાળકોના મોત
વેરાવળમાં 2 બાળકોના મોત થયાં છે. અઢી વર્ષની બાળકીની અચાનક તબિયત લથડી હતી જે બાદ 4 વર્ષીય પુત્રની પણ તબિયત લથડતા બંન્ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જે બંન્નેના મોત થયા હતાં. એક બાદ બંન્નેના મોત થતાં પરિજનોમાં શોકનું મોઝું ફરી વળ્યું છે. તેમજ સમગ્ર પંથકમાં એરેરાટી પામી જવા પામી છે.
બંન્ને મૃતદેહોનું ફોરેન્સિક પી.એમ થશે
જે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બંન્ને મૃતદેહોનું ફોરેન્સિક પી.એમ થશે તેમજ પી એમ માટે બંન્ને મૃતદેહોને જામનગર ખસેડાયા છે. જે સમગ્ર ઘટનાને લઈ ચોક્સ કારણ તો પીએમ બાદ જ જણાવી શકાશે.