ધન અને સુખ-સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર રિસાઈ જાય તો ગરીબી આવવામાં વાર નથી થતી.
વારંવાર આર્થિક સમસ્યા આવે છે?
શુક્રને મજબૂત કરવા અપનાવો આ ઉપાય
જાણો શું કરશો ઉપાય
જ્યોતિષો અનુસાર 9 ગ્રહ જીવનના અલગ અલગ પાસાઓમાં મહત્વની ભુમિકા નિભાવે છે અને દરેક રાશિઓ પર તેની અસર પડે છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેના જીવનમાં શુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ, પરિવાર, સફળતા વગેરે પર અસર કરે છે. જો આ વસ્તુઓથી સંબંધિત ગ્રહ નબળા હોય તો તે મામલામાં વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાંથી જ એક મુખ્ય ગ્રહ છે શુક્ર. જો શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં શુખ-સમૃદ્ધિ ઓછી હોય છે. તે પૈસાની તંગી અને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે.
ભૌતિક સુખ આપે છે શુક્ર
શુક્ર ગ્રહ શુભ હોય તો વ્યક્તિને ખૂબ ભૌતિક શુખ મળે છે. તે પોતાના જીવનમાં લક્ઝરીનો આનંદ લે છે અને વૈભવ સંપન્ન જીવન પસાર કરે છે. ભૌતિક સુખની નજરે જોઈએ તો શુક્ર મજબૂત હોવો ખૂબ જરૂરી છે. જો શુક્ર ગ્રહ કમજાર હોય તો દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને ઘણી વખત સંબંધ તૂટવાની સ્થિતિ આવી જાય છે એવામાં શુક્ર ગ્રહ સંબંધિ ઉપાયો કરવા જોઈએ.
શુક્ર ગ્રહ મજબૂત કરવાના ઉપાયો
જ્યોતિષ અને લાલ કિતાબમાં શુક્રગ્રહને મજબૂત કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી અમુક ઉપાય કરવા માટે શુક્રવાર સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. તેના માટે શુક્રવારે માતા લક્ષ્મીનું પુજન કરવું જોઈએ. સાથે જ શ્રી સુક્તના પાઠ કરવા જોઈએ. તેનાથી ખૂબ જલ્દી જ ધનની સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, ચોખા, સફેદ કપડાનું દાન કરો. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ખીર અથવા દૂધથી બનેલી મિઠાઈઓનો ભોગ લગાવો. સાથે જ કન્યાઓને પણ ખીર ખવડાવો.