9 મહિના પહેલા મળેલા વેન્ટિલેટર્સનો કોઈ પણ ઉપયોગ જ નથી કરવામાં આવ્યો
પીએમ કેસમાંથી મળ્યા હતા વેન્ટિલેટર્સ
આઈસીયુ સેટઅપ સાથે મળ્યા હતા વેન્ટિલેટર્સ
કોરોનાની બીજી લહેરનો કહેર હજુ યથાવત જ છે. સારવારના અભાવમાં લોકો મરી રહ્યા છે. પરંતુ બિહારના દરભંગામાં પીએમ કેર ફંડમાંથી મળેલા 25 વેન્ટિલેટર હજુ સુધી શરૂ જ નથી કરવામાં આવ્યા. અને બીજી તરફ દેશમાં વેન્ટિલેટરના અભાવના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.
PM Cares ફંડ દ્વારા આઈસીયુ સેટઅપ સહિત 25 વેન્ટિલેટર મળ્યા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ના વિરૂદ્ધ જંગમાં આપવામાં આવેલા વેન્ટિલેટર્સ ધૂળ ખાઈ રહ્યા છે. લગભગ 9 મહિના પહેલાના ડીએમસીએચને PM Cares ફંડ દ્વારા આઈસીયુ સેટઅપ સહિત 25 વેન્ટિલેટર મળ્યા હતા પરંતુ તેનો ઉપયોગ આજ દિન સુધી નથી થયો. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે આ વેન્ટિલેટરને શરૂ કેમ નથી કરવામાં આવી રહ્યા? ડીએમસીએચના અધીયક્ષ ડો. મણિ ભૂષણ શર્માનું કહેવું છે કે હોસ્પિટલને સંપૂર્ણ આઈસીયુ સેટઅપ અને વેન્ટિલેટરનો ઉપયોગ કરવા માટે તૈયાર કરી લેવામાં આવ્યા છે. પરંતુ વારંવાર dry-dunમાં અસફળ થવાનું કારણ આઈસીયુ અને વેન્ટીલેટર્સનો ઉપયોગ શરૂ ન કરવો છે.
વેન્ટિલેટરને ચાલુ કરવા માટે ડ્રાય રન પણ કર્યું
ડીએમસીએચના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. મણિ ભૂષણા શર્માએ કહ્યું કે દરભંગામાં કોરોના હોસ્પિટલ નર્સિંગ કોલેજને બનાવવામાં આવી છે. માટે ત્યાં વાયરિંગનું સંપૂર્ણ સેટઅપ લગાવવું પડ્યું છે. નવો ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. અમે વેન્ટિલેટરને ચાલુ કરવા માટે ડ્રાય રન પણ કર્યું હતું. પરંતુ તે ફેલ ગયું છે. આજે અથવા કાલે અમે વેન્ટિલેટરને શરૂ જરૂરથી કરી દઈશું.
મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. મણિ ભૂષણ શર્માએ કહ્યું કે અમે dry-runમાં સફળ થઈ ગયા છીએ માટે કોઈ પણ દર્દીને ત્યાં લઈ જવું ખતરનાક છે. અમે સંપૂર્ણ રીતે ખાતરી કર્યા બાદ જ દર્દીને ત્યાં લઈ જઈશું. અમારી પાસે 25 વેન્ટીલેટર છે જે ઉપયોગ માટે તૈયાર છે.
ત્યાં જ દરભંગાના બીજેપી ધારાસભ્ય સંજય સરાઓગીએ આઈસીયુ અને વેન્ટિલેટરની શરૂઆત ન થવાને લઈને ડીએમસીએચ પ્રશાસનને જવાબદાર માન્યું છે. તેમણે કહ્યું કે ઓક્સિજનની અછતના કારણે વેન્ટિલેટર ઉપયોગ નથી થઈ શકતો. અમે લોકોએ નિર્ણય કર્યો છે કે આવી પ્રાઈવસી એજન્સીને જોઈને વેન્ટિલેટરને ચાલુ કરવામાં આવે.
મહત્વનું છે કે 8-9 મહિના પહેલા પીએમ કેર ફંડમાંથી 25 વેન્ટિલેટર સહિત આઈસીયૂનું સંપૂર્ણ સેટઅપ આવ્યું હતું. પરંતુ ઓક્સીજનની અછતના કારણે તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. બીજેપી ધારાસભ્ય સંજય સરાવગીએ કહ્યું કે પ્રસાશને સંપૂર્ણ મામલામાં હવે ઝડપ બતાવી છે. આશા છે કે ટૂંક સમયમાં વેન્ટિલેટરનો ઉપયોગ શરૂ થઈ જશે.