કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાને હટાવવા માટે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્સયસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ફગાવી દીધી છે. મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને ફગાવતા પહેલા ઉપ રાષ્ટ્રપતિએ એની પર સંવિધાન વિશેષજ્ઞો અને કાનૂની વિશેષજ્ઞોથી સલાહ લીધી હતી.
મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધા બાદ કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. પ્રસ્તાવ કેમ રદ થયા એનું કારણ અમને ખબર નથી. કોંગ્રેસ અને બીજી વિપક્ષ પાર્ટીઓ કેટલાક કાયદાકીય વિશેષજ્ઞો સાથી વાત કરશે અને ત્યારબાદ આગળનું પગલું ભરશે.
કોંગ્રેસની આગેવાનીમાં સાત દળો તરફથી CJIની વિરુદ્ધ ઉચ્ચ સદનમાં મહાભિયોગ પ્રસ્તાવને નોટિસ આપવામાં આવી છે. જેના કારણે નાયડૂ પોતાના હૈદરાબાદ મુલાકાતને અડધેથી જ પૂર્ણ કરીને રવિવારે બપોરે દિલ્હી આવી ગયા હતા. રવિવારે એક પાર્ટીના અધિકારીએ કહ્યું હતું કે નાયડૂએ લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ પૂર્વ કાનૂન સચિવ પીકે મલ્હોત્રા અને પૂર્વ સંસદીય સચિવ સંજય સિંહ સાથે આ કેસ પર વાતચીત કરી હતી.
આ ઉપરાંત એમને અટાર્ની જનરલ કેકે વેણુગોપાલની સાથે જ રાજ્યસભા સચિવાલયની વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. અધિકારીઓ જણાવ્યું હતું કે એમને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડી પાસેથી સલાહ લીધી છે. આ ઉપરાંત 24 એપ્રિલે એમનો સ્વર્ણ ભારત ટ્રસ્ટનો પ્રવાસ કરવાનો પણ કાર્યક્રમ હતો. જેને તેમને રદ કરી દીધો.