દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયત હાલ સ્થિર બતાવામાં આવી રહી છે. જો કે આજરોજ સવારે અરૂણ જેટલીના ખબર અંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા .
ઉપરાષ્ટ્રપતિએ એઇમ્સના ડૉકટરો સાથે અરૂણ જેટલીની તબિયત અંગેની જાણકારી લીધી. અરૂણ જેટલી હાલમાં નાદુરસ્ત તબિયતને લઇને એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એઇમ્સ હોસ્પિટલોના તબીબો સતત તેમના પર દેખરેખ રાખી રહ્યાં છે. આજે અરૂણ જેટલીને લઇને એઇમ્સ હોસ્પિટલ હેલ્થ બુલેટિન પણ બહાર પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયત લથડતાં એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા. જો કે એઇમ્સ હોસ્પિટલના ડૉકટરો બાદમાં કહ્યું હતું કે અરુણ જેટલીની તબિયત હાલ સ્થિર છે.
Delhi: Vice President Venkaiah Naidu leaves from All India Institute of Medical Sciences(AIIMS) after visiting former Union Minister Arun Jaitley. The Minister is currently undergoing treatment in the intensive care unit. pic.twitter.com/xdqywttE5q
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીને એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતાં રાજકીય નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા અને બીજા નેતાઓએ હોસ્પિટલ જઇ અરૂણ જેટલીના ખબર અંતર પૂછ્યા હતા.
એઇમ્સ હોસ્પિટલના સીનિયર ડૉકટરના જણાવ્યા મુજબ અરૂણ જેટલી શુક્રવારે સવારે 10 વાગે હાર્ટ વિભાગમાં આવ્યાં હતા. જો કે પ્રાથમિક તપાસ બાદ ડૉકટરોએ તેમને દાખલ થવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. તેઓ ગત મોદી સરકારમાં નાણાં પ્રધાન હતા તેમજ કેટલાંક સમય સુધી રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે.