પૂ્ર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનને રાજ્યસભા સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાના ક્ષતિ બતાવી. બાદમાં જ્યારે ઉપ રાષ્ટ્રપતિ લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા પહોંચ્યા તો એમના પાર્થિવ શરીર સામે ધ્રુસેક ને ધ્રુસકે રડી પડ્યા. નાયડૂ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને નાની બહેન માનતા હતા જે દરેક રક્ષા બંધને એમને રાખડી બાંધતા હતા.
આ પહેલા રાજ્યસભામાં સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વેંકૈયા નાયડૂએ કહ્યું કે તે એક સક્ષમ પ્રશાસક અને જનતાનો અવાજ હતા. વેંકૈયા નાયડૂએ કહ્યું કે સુષ્મા એક રોલ મોડલ તરીકે ઉભર્યા અને એમને એવા મંત્રી તરીકે ઓળખવામાં આવ્યા, જેમનો દરેક સરળતાથી સંપર્ક કરી શકતા હતા.
રાજ્યસભામાં આખા ગૃહમાં મૌન રાખીને સુષ્મા સ્વરાજને યાદ કર્યા અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી. મોદી સરકારમાં સુષ્મા સ્વરાજ સાથે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નાયડૂએ કહ્યું કે તે મુશ્કેલ સમયનો હંસીને સામનો કરવામાં સક્ષમ અને એક મહાન વક્તા હતા. સુષ્મા સ્વરાજ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં બરાબર પ્રભુત્વ ધરાવતા હતા. કાશ્મીર મુદ્દા પર કરવામાં આવેલ અંતિમ ટ્વિટ એક દેશ અને એક વિધાન વિષય પર તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સભાપતિ નાયડૂએ સુષ્મા સ્વરાજને પોતાની નાની બહેન બતાવતા કહ્યું કે એમણે મને અન્ના એટલે કે મોટા ભાઇ કહીને સંબોધિત કરતા હતા. એમણે કહ્યું કે સુષ્મા દરેક વર્ષે રક્ષાબંધન પર મને રાખડી બાંધતી હતી. પરંતુ આ વર્ષે મને આ સૌભાગ્ય પ્રાપ્ત નથી થાય. નાયડૂએ એમને યાદ કરતા કહ્યું કે 'જ્યારે મેં એમના ઘરે જઇને રાખડી બંધાવવા ઇચ્છા દર્શાવી ત્યારે સુષ્માએ ફોન કરી મને આવવાથી ના પાડતા કહ્યું કે તમે મારા ઘરે ન આવો, કેમકે આપ દેશના ઉપરાષ્ટ્રપતિ છો, હું જ આપના ઘરે આવીને રાખડી બાંધીશ.'
Paid my last respects to Smt. Sushma Swaraj Ji at her residence, in New Delhi today and offered my profound condolences to her family. It is a great personal loss to me. In her demise, the nation has lost one of its most beloved and distinguished daughters. #sushma#SushmaSawrajpic.twitter.com/F87zy2LLRt
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા ત્રણ વાર રાજ્યસભાના સભ્ય રહ્યા અને ચાર વાર લોકસભાના સભ્ય રહ્યા. આ ઉપરાંત વાજપેયી સરકારથી લઇને મોદી સરકાર સુધી અલગ-અલગ મંત્રાલયોને સંભાળ્યા. એમણે આ વર્ષે સ્વાસ્થ્યને કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીના એમ્સમાં એટેક આવવાને કારણે મંગળવારે રાત્રે 67 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું.